________________
૧૪૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
એ રાત્રે 8 વાગ્યા સુધી ભગવતીલાલજીના શરીરમાં રહી ખૂબ નવી નવી વાતો કહી. જે કે એ પરિચય સૌ પ્રથમ મારી જિંદગીમાં ભૂતપ્રેતને પ્રત્યક્ષ નિહાળી વાતો કરવાની પ્રથમ તક હતી. પણ આરાધના અંગે ઘણી નવી વાતો તેમણે કહી, તેમણે પોતાનો ટૂંક પૂર્વ પરિચય આપેલ, તેઓ ૧૩૭ વર્ષ પૂર્વે ઉદયપુરના ધરતમંડીના દેરાસરના યતિજી હતા. ૭૦ વર્ષ યતિપણામાં રહેલ, ઘણી શાસ્ત્રીય વાતોનો ખજાનો તેમની પાસે લાગ્યો. પ્રથમ મુલાકાતે મેં બધું જાણવા પ્રયત્ન ન કર્યો. આ પછી ૮-૧૦ વર્ષ પરિચય રહ્યો. ટૂંકમાં કહેવાનું એ કે આરાધનાની તકો કયારેય અચાનક મળી આવે છે. તેનો લાભ દેવગુરુ કૃપાએ લઈ લેવો. નહીં તો ફરી તેવી તકો મળતી નથી.
છે
(90
ય.
૧૦-૧૨-૮૩ વિક જીવનમાં કયારે કેવા સંયોગો ઊભા થાય! તે નકકી નથી. તેથી આપણામાં સંયોગોને અનુરૂપ થવાની ક્ષમતા કેળવી રાખવાની જરૂર છે. વિચારોમાં લક્ષ્યની જાગૃતિનો પ્રકાશ તેમજ વિવેકનું અજવાળું પથરાય ત્યારે ગમે તેવા વિષમ સંયોગોમાં પણ અંતરમાં ખળભળાટ ન થવા દે અને આવેલ સંયોગોમાંથી હેમખેમ પસાર થઈ જવાય.
આ માટે શ્રી નવકારના જાપના આલંબને અંતરની વૃત્તિઓમાં સમ્યફવિચારોની પરિણતિ કેળવવાના પરિણામે ધીરતાની કેળવણી ખાસ જરૂરી છે. આરાધનામાં ફળની ઝંખના કર્યા વિના આપણી વૃત્તિઓને આજ્ઞાપાલન - કર્તવ્યનિષ્ઠાના પંથે વાળી આરાધનામાં સ્થિર કરવી જરૂરી છે.
આના પરિણામે ઘણા વિશિષ્ટ સંયોગો આપોઆપ ઊભા થાય છે કે જેથી આપણી ચેતનાનો વિકાસ ઊર્ધ્વપંથે થવા માંડે છે. મારા જીવનમાં વિ. સં. ૧૯૯૮માં પૂ. ગુરુદેવની નિશ્રામાં માલવાના દહેરાસરોના જીર્ણોદ્ધારના કાર્ય અંગે બદનાવર (M.P.)ના શ્રીયુત મન્નાલાલભાઈ મિસ્ત્રી તેમજ સુપરવિઝન કરનાર)ના સત્સંગથી અધ્યાત્મરુચિના અંદર પડેલ બીજ સતુ- વાંચન દ્વારા નવ પલ્લવિત થઈ રહ્યા હતા. તેમાં તેઓની સૂચનાથી ઉજૈનના પરમસંત યોગી ડૉ. નાગર સંચાલિત “કલ્પવૃક્ષ' માસિક તેમજ સત્સંગના પુસ્તકોના વાંચનથી અંદરની સત્સંગ પરિણતિ નકકર થવા માંડેલી.
Jain Education International
. For Private & Personal Use Only
www.jainelibrary.org