________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૯૯
અહંભાવમાં હું ફસાઈ જાઉં છું – પણ મારા પર પરમેષ્ઠીઓની કરુણા એટલી બધી છે કે તુરત તેની પ્રત્યાઘાતી અસર શરીર પર પડે, પછી હું ખરેખર દિલથી માફી માંગું, એટલે સાધનાનો અહંભાવ ઓગળી જાય અને યોગ્ય રીતે પુન: હું સાધનાના માર્ગે આગળ વધું.
આવું વારંવાર અનુભવાયું છે, પણ સંસ્કારોની વિદાયગીરીનું આ શુભ ચિહન છે એમ ગુરુકૃપાએ અનુભવાયું છે. સાધનાનું બળ વધે અને સંસ્કારો ક્ષીણ થાય ત્યારે બુઝાતા દીવાના ચમકારાની જેમ આવા વિષમ દેખાવો થાય. એટલે ગુરુકૃપાથી સાધના માર્ગથી વિચલિત થવાના બદલે ઊલટું વધુ અંતરની પકકડ મજબૂત થઈ સાધના માર્ગને વળગી શકું છું.
એટલે શ્રી નવકારની દયાથી સાધનાનો અહંભાવ વિષમ – પ્રબળ દોષ છતાં અંતરની જાગૃતિના બળે નુકસાન કરનાર બન્યો નથી – એ ગુરુ માની દયા બદલ ખૂબ આભારી છું.
ગ્ર )
४७
પાલનપુર
૨૩-૯-૮૩ વિ. તમારી આરાધના સુખરૂપે વ્યવસ્થિત થાય છે ને ? આરાધનાના પંથે ચાલતાં આપણા અંતરના વિકારો, વિષયની વાસનાનો જુસ્સો કેટલો મંદ થયો છે તે સતત ધ્યાનમાં લેવું જોઈએ.
અંતરમાં જેમ આરાધનાનું બળ વધે તેમ વિચારોની ચંચલતા, વિકારોની પ્રબળતા અને અંતરના રાગદ્વેષના ઉછાળારૂપી અંધકાર જીવનમાંથી ઘટવા પામે.
આરાધનાની આ પારાશીશી છે. સંસારનાં કાર્યોનું જેટલું મહત્વ સમજાયું છે તે કરતાં આરાધનાનું મહ વ વધુ ગંભીરપણે સમજવું જરૂરી છે. - દુન્યવી કામો તો ન છૂટકે શરીર અને સંસાર-વ્યવહાર ટકાવવા કરવાના હોય છે. જ્યારે આરાધના તો આપણા અંતરમાં ભરાયેલ વાસનાના કચરાને – મેલને હઠાવવા ખાસ જરૂરી આવશ્યક અંગ તરીકે ઉમંગથી કરવાનાં હોય છે. તેમાં આખા દિવસના સંસારી બીજાં કાર્યો કરતાં વધુ ઉલ્લાસ રહે તે ખાસ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org