________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૭૫
JUR
૩૩
પાલનપુર
૨૯-૭-૮૩ વિશ્રી નવકારની આરાધનામાં અંતરંગ ભાવશુદ્ધિ કરતાં જ્ઞાની-નિથા અને વિધિ-શુદ્ધિ બે વસ્તુ મહત્ત્વની છે.
અંતરમાં જે ભાવોની અશુદ્ધિ છે, રાગાદિ વિકાર છે, તે વિકારો મોહના સંસ્કારોથી ઊપજે છે.
તે મોહના સંસ્કારોરૂપ મેલને હટાવવા માટે જ્ઞાની નિશ્રા રૂપ પાણી અને વિધિના વિવેકપૂર્વક પાલનરૂપ સાબુની જરૂર છે.
સૌ પ્રથમ આરાધનાના પંથે ચાલનારો અંતરથી વિશુદ્ધ ભાવવાળો હોય એવું સંભવિત નથી. અંતરમાં વિકારોની અશુદ્ધિ તો અનાદિકાળની હોય છે. તેને હઠાવવા જ શ્રી નવકારની આરાધના કરવાની છે.
એટલે પ્રારંભમાં અંતરથી ભાવ (Mood) ન હોય છતાં નિયત સમયે, નિયત મર્યાદાએ જાપ કરવા બેસી જવાથી જાપના પ્રભાવે અમુક ટાઈમે જરૂર અંતરના વિકારોનું શમન થવાથી અંતરથી ભાવોલ્લાસ (Mood) સહજ રીતે આવવા માંડે છે.
તેથી શ્રી નવકારના આરાધકે જ્ઞાની-નિશ્રા (એટલે તેમની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક જાપના માર્ગે પ્રવર્તવાની પવિત્ર ફરજ છે. મહાપુરુષોના જીવનકાળમાં આ રીતે જ મહાન સાધનાનાં બીજ નંખાય છે.
જંબુસ્વામીજી મ. આ કાળના સર્વોત્તમ મહાપુરુષ થઈ ગયા. જેઓ આ કાળમાં ચરમ કેવલી એટલે છેલ્લા કેવળજ્ઞાની થયા.
તેમના પછી કોઈને કેવળજ્ઞાન નથી થયું. તેઓએ ૧૬ વર્ષની ભરયુવાન વયે પોતાના પિતાની ૯૯ કોડ સોનૈયાની સંપત્તિનો ત્યાગ કર્યો વળી ઈતિહાસમાં કયારેય ન બન્યું એવું તેમણે કર્યું કે,
પોતે સુધર્મા સ્વામી - પાંચમા ગણધર પાસે ચોથું વ્રત જીવજજીવનું ઉચ્ચરેલ, છતાં માતા-પિતાના આગ્રહથી ૮ કન્યાઓ સાથે લગ્ન માટે ઘોડે ચઢ્યા – ચોરીમાં પરણવા બેઠા, પરણ્યા પછી રાત્રે આઠેય સ્ત્રીઓને બૂઝવી વૈરાગી બનાવી. તે આઠ સ્ત્રીઓના ૮ માતા - ૮ પિતાને પણ બૂઝવ્યા. પોતાના માતા - પિતાને બૂઝવ્યા અને ચોરી કરવા આવેલ ૫૦ ચોરને બૂઝવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org