SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના છે... કે આ રાજ્ય આપ સ્વીકારો. સર્વ રાજયસંપત્તિ આપ ભોગવો... અને મને કૃતાર્થ કરો...” બોલતાં બોલતાં રાજા કુમારપાલની આંખો ભીની થઈ ગઈ... એનું હૈયું ભરાઈ આવ્યું. આચાર્યદેવે કહ્યું : “હે કુમારપાલ, તું શા માટે આટલો બધો વ્યથિત થાય છે? તું કૃતજ્ઞ જ છે... કૃતજ્ઞોમાં શ્રેષ્ઠ છે. ઉપકારોનો બદલો વાળવાનો અવસર તો હવે આવે છે ! તું મને રાજ્ય સ્વીકારવાનું કહે છે... પરંતુ તારી અપૂર્વ ભક્તિ આગળ રાજ્યની શી કિંમત છે ? તારી આ અનુપમ ભક્તિ જ અમૂલ્ય છે. વળી, રાજનું, અમે નિર્મોહી, નિર્લોબી અને ચારિત્રવત જૈન સાધુ છીએ. અમે રાજ્ય હોય તો એનો ત્યાગ કરી શકીએ પરંતુ સ્વીકાર ના કરી શકીએ. જો અમે રાજા બનીએ તો અમારો ધર્મ નાશ પામે. માટે, જો તારે, ઉપકારોનો બદલો વાળવો હોય તો હું તારું આત્મહિત કર. તે માટે જિનેશ્વરના ધર્મનો તું સ્વીકાર કર. શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર. તે પહેલાં પણ મને એવું વચન આપેલું છે... માટે એ તારું વચન પાળ. તે વચનને સાચું કરીને બતાવ. મહાપુરુષોનાં વચન મિથ્યા થતાં નથી.' આચાર્યદેવનો ઉપદેશ સાંભળીને રાજાએ કહ્યું : “હે મારા ઉપકારી ગુરુદેવ, જે પ્રમાણે આપ કહો છો તે પ્રમાણે જ કરીશ. આપના જ સંપર્કમાં રહેવાની મારી ઇચ્છા છે. આપના સત્સંગમાં રહીને હું કંઈક તત્ત્વપ્રાપ્તિ કરી શકીશ.” આ રીતે આચાર્યદવ તથા કુમારપાલના સંબંધોનો પ્રારંભ થયો. અને આ સંબંધ મૃત્યુપર્યત અખંડ રહ્યો. કમારપાલનો પશ્ચાત્તાપ ૭૩ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy