SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજની આજ્ઞાથી અહીં આવ્યા છીએ.” આચાર્યદેવે કહ્યું : “અહીં કુમારપાલ આવ્યો જ નથી. તે છતાં રાજાની આજ્ઞા છે, તો તમે ઉપાશ્રયમાં જોઈ શકો છો.” . સૈનિકોએ ઉપાશ્રય જોયો. એકેએક ઓરડો તપાસ્યો... ઉપરનીચે બધે ફરી વળ્યા. કુમારપાલ ના મળ્યો. છેવટે નિરાશ થઈને હાલતા થઈ ગયા. થોડો સમય વીત્યા પછી, આચાર્યદેવે ઉપાશ્રયનાં દ્વાર બંધ કરાવ્યાં. ઓરડામાં જઈ, પુસ્તકોને દૂર કરીને ભોંયરામાંથી કુમારપાલને બહાર કાઢ્યો. બહાર નીકળીને કુમારપાલ, આચાર્યદેવનાં ચરણોમાં પડી ગયો... ગગંદ સ્વરે બોલ્યો : “ગુરુદેવ, આપે મારી રક્ષા કરી. મારા ઉપર મહાન ઉપકાર કર્યો.' “કુમાર, એ દુષ્ટ સૈનિકોની વાત સાંભળી'તી? કેટલા જોર-જોરથી બોલતા હતા ?' “પ્રભુ, મેં એમની વાત સાંભળી હતી અને આપનો અવસરોચિત જવાબ પણ સાંભળ્યો હતો... ભગવંત, આપને મારી ખાતર અસત્ય બોલવું પડ્યું ને?' કુમાર, એક જીવની પ્રાણરક્ષા માટે બોલાયેલું અસત્ય વચન પણ સત્ય વચન જ કહેવાય. મારે તો તારી રક્ષા કરવી હતી.. કે જેથી તું ભવિષ્યમાં અસંખ્ય જીવોની રક્ષા કરી શકે !' ભગવંત, મને આ વાત નથી સમજાતી કે આટલી વૃદ્ધ ઉંમરે સિદ્ધરાજને આ શું સૂઝયું? એને કઈ વાતે કમી છે? આટલું વિશાળ રાજ્ય છે... અને ભરપૂર ધનભંડાર છે... ખેર, એને મારા પ્રત્યે વૈરભાવ છે. તે મારા જ કોઈ દુર્ભાગ્યના કારણે હશે. હે મહાત્મનું, આવા અણીના સમયે, તમારા જીવના જોખમે તમે મને બચાવી લીધો.. હું આપનો કેટલો ઉપકાર માનું? મારી પ્રાણરક્ષા કરીને મારા પર મહાન ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ? આપનો જૈન ધર્મ દયામય છે, એ વાત આજ સુધી મેં માત્ર સાંભળી જ હતી, પણ આજે, એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. ગુરુદેવે પ્રાણરક્ષા કરી $ $ ૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy