SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ, આ “ સત્ત્વ ગુણની વાત મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ને ! ગુરુદેવે કહ્યું : “વત્સ, તને વિસ્તારથી સમજાવું છું. – સત્ત્વશીલ પુરુષ દુઃખમાં ધર્મને છોડતો નથી. સત્ત્વશીલ પુરુષ લીધેલી પ્રતિજ્ઞાને દઢતાથી પાળે છે. સત્ત્વશીલ પુરુષ દુઃખોથી ઘેરાઈ જવા છતાં હિંમત હારતો નથી કે નિરાશ થઈ જતો નથી. સત્ત્વશીલ મનુષ્ય માટે કોઈ કામ અશક્ય હોતું નથી. સત્ત્વશીલ મનુષ્ય પરોપકાર માટે દુનિયામાં ડૂબકી મારતાં કે આકાશમાં છલાંગ મારતાં અચકાતો નથી. જરૂર પડે તો ભડભડતી આગમાં કૂદી પડે અને ઝેરનો પ્યાલો પણ ગટગટાવી જાય. સત્ત્વશીલ મનુષ્ય સમય આવતાં પોતાનું સર્વસ્વ ત્યજી દેતાં વાર નથી કરતો. સત્ત્વશીલ મનુષ્ય, વર્ષો સુધી દુઃખો સહન કરવાની ધીરજ રાખતો હોય છે. સત્ત્વશીલ મનુષ્ય ક્યારેય “હાય, હાય” કે “અરેરે...” એવા કાયરતાસૂચક શબ્દો બોલતો નથી. સત્ત્વશીલ રાજા પ્રજાની રક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહે છે. જરૂર પડે પોતાનું બલિદાન પણ આપી દે છે. જાણે કે કુમારપાલને એના ભાવિ જીવન અંગે આડકતરી રીતે આચાર્યદવ નિર્દેશ આપતા હતા ! જોજે કુમાર, તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે... એ વખતે તારા અપૂર્વ સત્ત્વનો પરિચય આપજે! હિંમત હારીશ નહીં ! આચાર્યદેવ પાસે કુમારપાલને સમાધાન મળ્યું, તેને આચાર્ય ગમ્યા. તે ત્યાંથી ઊભો થઈ, ગુરુદેવને પ્રણામ કરી... ઉપાશ્રયની બહાર નીકળ્યો. પોતાના સ્થાને ગયો. - કુમારપાલનો જન્મ જ ૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy