SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિનું જીવનચરિત્ર લખવું એ મહાસાગર તરવા જેવો વિકટ પ્રયાસ છે. પરંતુ આચાર્યશ્રી તરફની મારી ભક્તિ અને શ્રદ્ધાએ જ મને આ ચરિત્ર લખવા પ્રેરિત કર્યો છે. આ ચરિત્રરચનાના આધારભૂત ગ્રંથો આ છે: (૧) જયસિંહસૂરિ-વિરચિત કુમારપાલ ભૂપાલચરિત્ર, (૨) શ્રી રાજશેખરસૂરિ-પ્રણીત ચતુર્વિશતિપ્રબંધ, (૩) શ્રી મેરૂતુંગાચાર્ય-વિરચિત પ્રબંધચિંતામણિ. આ જીવનચરિત્ર, વિશેષરૂપે બાળકોને દૃષ્ટિમાં રાખીને લખ્યું છે. એટલે રચનાશૈલી એકદમ સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે. નાનાં વાક્યો, સુગમ શબ્દો અને સરળ શૈલીમાં આ ચરિત્ર લખ્યું છે. એમાં મને કેટલી સફળતા મળી છે, એ તો વાચકો જ કહેશે. ગુજરાતના કે ભારતના ઇતિહાસમાં, આ સાચી... તદ્દન સાચી ઘટનાઓનો સમાવેશ ઈતિહાસકારોએ કર્યો નથી. કારણ કે ભારતમાં જે ઈતિહાસ બાળકોને ભણાવવામાં આવે છે તે મોટા ભાગે વિદેશીઓએ લખેલો છે. જૈન ધર્મદ્વિષી એવા સ્વદેશીઓએ લખેલો છે. એટલે એ કાળની ઢગલાબંધ સંસ્કારપોષક વાતો | બાળકોને વાંચવા મળતી નથી. તેથી આ દેશના સંસ્કારઘડતરમાં જૈન પ્રજાનો કેટલો મોટો ફાળો છે, એ જૈનો જાણતા નથી ! જૈનેતરો પણ જાણતા નથી. શ્રી હેમચન્દ્રાચાર્યનું વ્યક્તિત્વ અદૂભુત હતું. તેઓનું સમસ્ત જીવન તેજસ્વી હતું. આચાર્યદેવમાં આધ્યાત્મિક ઉજ્વલતાની સાથે અપૂર્વ માનવતા રહેલી હતી. આચાર્યદેવના સૌમ્ય ઉપદેશની આગળ, તેઓના નિર્મળ વ્યક્તિત્વની આગળ સિદ્ધરાજની ઉત્કટ મહત્ત્વાકાંક્ષાઓ અને તેનો ઉગ્ર સ્વભાવ શાંત થઈ જતો હતો. શ્રી હેમચંદ્રાચાર્યની અપૂર્વ ઉપદેશશક્તિથી કુમારપાલના મનનું સમાધાન થયું હતું. તેઓની વીતરાગ સ્તવનાઓથી રાજાનું ચિત્ત સાત્વિક બન્યું હતું. યોગશાસ્ત્રના અભ્યાસથી રાજાને ઉત્તરાવસ્થામાં મનઃપ્રસાદ મળ્યો હતો. કુમારપાલ દ્વારા આચાર્યદેવે અહિંસા-પ્રવર્તનનું મહાન કાર્ય કર્યું હતું, જે છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં અદ્વિતીય કાર્ય હતું. આ ચરિત્ર લખવામાં, કોઈ પણ ક્ષતિ-ડ્યુટી રહી ગઈ હોય તો મને ક્ષમા કરો. મારું ધ્યાન દોરજો. બીજી આવૃત્તિમાં સુધારી લેવા પ્રયત્ન કરીશ. સહુ કોઈ આ ચરિત્ર વાંચી, અનેકવિધ સત્રેરણાઓ પામે, એ જ મંગલ કામના. ઈરલાબ્રિજ, મુંબઈ જ્ઞાનપંચમી, વિ.સં. ૨૦૪૬ હકદલ્સનરુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy