SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદ શેઠની કેવી મહાનતા ! ધનદ શેઠની કેવી નીતિમત્તા ! જેમના પ્રભાવથી ધન મળ્યું, એમના ચરણે ધરી દીધું ! ન કર્યો પોતાની દરિદ્રતાનો વિચાર, ન કર્યો પોતાના સુખ-વૈભવનો વિચાર ! આચાર્યદેવે કહ્યું : ‘શ્રેષ્ઠી, જો તમારી આવી જ ઇચ્છા છે, તો તમે શ્રી મહાવીર સ્વામીનું એક દેવવિમાન જેવું દેરાસર બંધાવી દો !' ધનદ શેઠે આચાર્યદેવની આજ્ઞા શિરોધાર્ય કરી. તુર્ત જ દેરાસર બંધાવવાની તૈયારીઓ કરી. તેમણે આચાર્યદેવને વિનંતી કરી : ‘ગુરુદેવ, આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા આપના જ કરકમલો દ્વારા થવી જોઈએ. ત્યાં સુધી આપ શિષ્ય-પરિવાર સાથે અહીં જ બિરાજો.' એક બાજુ દેરાસર બનવા લાગ્યું. બીજી બાજુ ધનદ શેઠનો ધંધો પણ ધમધોકાર ચાલવા માંડ્યો. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે ધનદ શેઠે વેપારમાં લાખો રૂપિયા કમાઈ લીધા હતા. તેમણે પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવ્યો. આચાર્ય ભગવંતે સારા મુહૂર્તમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા કરાવીને નાગપુરથી વિહાર કર્યો. વિચરતા-વિચરતા તેઓ પાટણ પધાર્યા. નાગપુરમાં એક ચમત્કાર ! Jain Education International For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy