SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં એક દૃશ્ય જોયું... ને મારો થાક હું ભૂલી ગયો. કંટાળો પણ જતો રહ્યો ! વૃક્ષના પોલાણમાંથી એક ઉંદર બહાર આવ્યો. તેના મોંઢામાં ચાંદીનો સિક્કો હતો. તેણે એક જગાએ એ સિક્કો મૂક્યો અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં બીજો સિક્કો લઈને બહાર આવ્યો. તે સિક્કો પણ પહેલાંના સિક્કા પાસે મૂક્યો. ફરી એ દરમાં ગયો, ને ત્રીજો સિક્કો લઈને બહાર આવ્યો... આ રીતે એ ૩૨ સિક્કા બહાર લઈ આવ્યો. અને નાચવા લાગ્યો ! મને વિચાર આવ્યો : ઉંદર આ સિક્કાઓને શું કરશે ? એને આ સિક્કા કોઈ કામમાં આવવાના નથી. જ્યારે મારે તો ખૂબ કામમાં આવે આ સિક્કા !' મારી દરિદ્રતાએ મને એ ચાંદીના સિક્કા લઈ લેવા પ્રેરિત કર્યો. મેં વિચાર્યું કે આ ઉંદ૨ દ૨માં જાય એટલે સિક્કા લઈ લઉં !’ ઉંદર દરમાં ગયો. મેં સિક્કા લઈ લીધા ! ઉંદર દરમાંથી બહાર આવ્યો...તેણે સિક્કા ના જોયા એટલે ચારે બાજુ જોવા લાગ્યો...વૃક્ષની આસપાસ દોડવા લાગ્યો...પછી, ત્યાં પડેલા એક પથ્થર ઉપર માથું પછાડવા લાગ્યો...હું જોતો રહ્યો...ને એ મરી ગયો... ભગવંત, ઉંદરના મૃત્યુથી મારા દિલમાં ઘણું દુ:ખ થયું. મારા મનમાં થયું કે, ‘મેં આ ચાંદીના સિક્કા ના લીધા હોત તો સારું થાત... પરંતુ એ રાંડ્યા પછીનું ડહાપણ હતું...' ગુરુદેવ, આ પાપનું મને પ્રાયશ્ચિત્ત આપો. ગુરુદેવે કહ્યું : ‘કુમારપાલ, જે જગાએ ઉંદર મૃત્યુ પામ્યો હતો, એ જગાએ એક ભવ્ય દેરાસર બંધાવવું જોઈએ. એ જ પ્રાયશ્ચિત્ત છે.’ આજ પણ તારંગાના પહાડ ઉપર એ ભવ્ય દેરાસર ઊભેલું છે. તેમાં ભગવાન અજિતનાથની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. નવસો વર્ષ પછી પણ આ દેરાસર એ થાને સંભળાવી રહેલું છે. ગુજરાતના મહામંત્રી હતા ઉદયન મહેતા. દેરાસરો બંધાવ્યાં Jain Education International For Private & Personal Use Only ૧૧૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy