SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કોષાધ્યક્ષને બોલાવીને સૂચના આપી : “દેરાસરના બાંધકામ માટે વાગભટ્ટ મંત્રી જેટલા રૂપિયા જયારે માગે તેટલા આપવા.' અને દેરાસરનું કામ શરૂ થઈ ગયું. નેમનાથ ભગવાનની સો ઇંચ ઊંચાઈવાળી મૂર્તિ ઘડાવાનું કામ પણ શરૂ થઈ ગયું ! એક વર્ષમાં દેરાસર તૈયાર થઈ ગયું. એક વર્ષમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ. ગુરુદેવ હેમચન્દ્રસૂરિએ દેરાસરમાં, વિધિવિધાન સાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. રાજાએ એ દેરાસરનું નામ આપ્યું : “ત્રિભુવનપાલ ચૈત્ય'. રાજા કુમારપાલના પિતાનું નામ હતું ત્રિભુવનપાલ ! પહેલું દેરાસર પિતાજીની સ્મૃતિમાં બંધાવ્યું. પ્રજાએ પિતૃભક્ત રાજાની ખૂબ પ્રશંસા કરી. એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, મારા બત્રીસ દાંતથી મેં ખૂબ માંસાહાર કરેલો છે. ઘણું પાપ કરેલું છે. પ્રભુ, એ પાપનું મને પ્રાયશ્ચિત્ત આપો.' - ગુરુદેવે કહ્યું : “કુમારપાલ, પાપોથી મુક્ત થવાની તમારી ભાવના પ્રશંસનીય છે. તમે ૩૨ દેરાસર બંધાવો...કારણ કે તમે ૩૨ દાંતથી માંસને ચાવ્યું છે !” રાજાએ ગુરુદેવનાં ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું : તહરિ ગુરુદેવ, આપે આપેલું પ્રાયશ્ચિત્ત હું સ્વીકારું છું. ૩૨ દેરાસર જલ્દીથી જલ્દી બંધાવીશ. પરંતુ આ ૩૨ દેરાસરો કેવાં બંધાવવાં, એ અંગે માર્ગદર્શન આપવાની કૃપા આપે કરવી પડશે...” ગુરુદેવે કહ્યું : – બે દેરાસર સફેદ પથ્થરનાં બનાવવાં જોઈએ. – બે દેરાસર કાળા પથ્થરના બનાવવાં જોઈએ. – બે દેરાસર લાલ પથ્થરનાં બનાવવાં જોઈએ. - દેરાસરો બંધાવ્યાં છે ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy