________________
સમભાવપૂર્વક શુભધ્યાનમાં સ્થિર થવું એ કાયોત્સર્ગનું હાર્દ છે. કાયોત્સર્ગમાં એકાગ્ર થયેલ વ્યક્તિ દેહની જડતા અને મતિની મંદતા દૂર કરે છે; સુખદુ:ખની તિતિક્ષા વડે અનુપ્રેક્ષા અથવા તત્ત્વચિંતન કરે છે અને શુભ ધ્યાન ધ્યાવે છે. ૧૨ કાયોત્સર્ગના ભેદો :
કાયોત્સર્ગમાં ચાર ભેદોનું વિધાન છે. ૧. ઉચ્છિતોચ્છિત : દ્રવ્ય (શરીર) અને ભાવ (પરિણતિ)થી શુભ અને શુદ્ધ રૂપે કરવામાં આવતો કાયોત્સર્ગ; ૨. ઉચ્છિતાનુચ્છિત : દ્રવ્ય (શરીર)થી શુદ્ધ ઉભા રહેવું અને ભાવથી અશુ ભલેશ્યરૂપ પરિણતિ હોવાથી અનુચ્છિત. ૩. અનુશ્થિતોષ્કૃિત: દ્રવ્યથી નીચે બેસીને પણ ભાવથી શુભ લેશ્યાયુક્ત કાયોત્સર્ગમાં ઉઘુક્ત અને ૪. અનુચ્છિતાનુતિ : દ્રવ્ય (શરીર)થી નીચે બેસીને અને અશુભ લેશ્યા યુક્ત મનઃપરિણતિ સાથેનો કાયોત્સર્ગ. કાયોત્સર્ગનાં દોષો :
કાયોત્સર્ગના ૨૧ કે ૧૯ દોષો છે. ૧. ઘોટક ૨. લતા ૩. સ્થંભ ૪. કુચ ૫. માલ ૬. શબરી ૭. વધૂ ૮. નિગડ ૯. લંબોત્તર ૧૦. સ્તન ૧૧. શકટોદ્ધિકા ૧૨. સંયતી ૧૩. ખલીન ૧૪. વાયસ ૧૫. કપિત્થ ૧૬. શીર્ષોલ્ડંપિત ૧૭. મૂક ૧૮. અંગુલી ૧૯. ભૂ ૨૦. વારુણી ૨૧. અનુપ્રેક્ષા
આ એકવીસ દોષોને વર્જીને કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેવાથી શરીરના અંગોપાંગ જેમ જેમ દુખે છે તેમ તેમ સુવિહિત આત્માના આઠ પ્રકારના કર્મસમૂહ પણ દુઃખવા/તૂટવા લાગે છે. ઉપસંહાર :
કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે. જો કે તપાચારમાં ધ્યાન અને કાયોત્સર્ગને અત્યંતર ભેદોમાં અલગ ગણાવેલ છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ ધ્યાનમાં પરિણતિને ધ્યાન ગણેલ છે. જ્યારે કર્મક્ષયાર્થે શરીરનો - શરીર ઉપરની મમતાનો ત્યાગ કરાય તેને ઉત્સર્ગ યા કાયોત્સર્ગ કહેવાય છે. આ બન્ને વ્યાખ્યાઓ જ્યારે ધ્યાનસિદ્ધ થાય છે ત્યારે તેમની વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાનસિદ્ધિમાં કાયોત્સર્ગ સિદ્ધિ સમાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેયનું જ્ઞાન
(૭૬)
Jain Education International
For Private personal Use Only
www.jainelibrary.org