________________
એટલે વયમાં નાના પણ ચારિત્ર ગુણમાં અધિક હોય તેવા સાધુ. આમ ગુરુ શબ્દ અહીં સુગુરુનો વાચક છે. વંદન પણ સુગુરુને જ કરવાનું છે; નામધારી કે કુગુરુને નહિ. સુગુરુનું સ્વરુપ આપણને ગુરુસ્થાપના સૂત્રમાં મળે છે.૪ આ બે ગાથાના સૂત્રમાં ગુરુના છત્રીસ ગુણો વર્ણવેલ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર, નવપ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ ધરનાર, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, પંચ મહાવ્રતોથી યુક્ત, પંચાચારના પાલનમાં સમર્થ અને પંચમિતિ- ત્રણગુપ્તિવાળા- છત્રીસ ગુણોવાળાં ગુરુને અત્રે વંદ્ય ગણવાના છે.
૫
કુગુરુનું સ્વરૂપ પણ શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં સ્પષ્ટ કર્યું છે. બે પ્રકારના ‘પાસસ્થા’, બે પ્રકારના ‘અવસન્ના', ત્રણ પ્રકારના ‘કુશીલો’, બે પ્રકારના ‘સંસક્તો’ અને અનેક પ્રકારના ‘યથાછંદો’ને જિન મતમાં અવંદનીય કહ્યા છે.
જે સાધુ દોષિત આહાર પાણી લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે તે ‘દેશ પાસસ્થા’ અને જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણો રાખવા છતાં તેનો લાભ ન લે તે ‘સર્વ પાસસ્થા’ કહેવાય છે.
જે સાધુ યોગ્ય નિત્યકરણીમાં શિથિલ હોય તે ‘દેશ અવસન્ન’ અને જે વધુ સમય સુપ્તાવસ્થામાં અને પ્રમાદવશ દેહને જ પોષતા હોય તથા સંયમકરણીનાં નિર્વીર્ય હોય તે ‘સર્વ અવસન્ન' કહેવાય છે.
ત્રણ પ્રકારના કુશીલનું વર્ણન :
જે સાધુ આપમેળે જીવહિંસા કે કર્મબંધના કારણોનું સેવન કરે, બીજાના ગુણો પ્રત્યે અસહિષ્ણુ બને એ સુખશીલિયા બની રહે તે સંકિલષ્ટ સંસક્ત' અને વિવેકરહિતપણે વર્તે તે અસંકિલષ્ટ- સંસક્ત' કહેવાય.
‘યથાછંદ’ સાધુઓ અનેક પ્રકારના છે. તરંગી, ઉત્સૂત્રભાષી, પરનિંદક, સ્વાર્થી, આળ ચઢાવનાર અને સ્વ સત્કારાર્થે મિથ્યાડંબર કરનાર. આવા કુગુરુઓને અવંદ્ય- અવંદનીય કહ્યા છે.
વંદના અને આચાર શુદ્ધિ :
આચારશુદ્ધિમાં ઉદ્દેશ આત્મવિશુદ્ધિનો હોય છે. સમત્વને સિદ્ધ કરવા સાધક પ્રથમ ચતુર્વિંશતિ સ્તવ વડે અરિહંતો અને સિદ્ધોને તેમના સદ્ભૂત
www.jainelibrary.org
Jain Education international
પર
For Private & Personal Use Only