________________
અહીં લોકના સંપૂર્ણ સ્વરૂપનો પ્રકાશ (ઉદ્યોત) કરનાર એટલે તીર્થંકરો. “ઉત્પન્નેઈ વા, વિગમેઈ વા ધુવેઈ વા” એ ત્રિપદી વડે જે સત્ છે તેના ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને છતાં કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત અને- જેમાં ઉત્પત્તિ, નાશ પર્યાયાધીન છે અને ધ્રૌવ્ય- ધ્રુવપણું ગુણને આધીન છે તેવા સત્ લોકનું સ્વરૂપ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રકાશતા રહે છે.
ચોવીસ જિનવરોને ધર્મતીર્થંકર કહેવામાં આવ્યા છે. ધર્મ એ જ તીર્થ; તારે તે તીર્થ એ પ્રસિદ્ધ વ્યાખ્યા છે તે મુજબ સંસાર સાગર તરવાનું જે સાધન બની શકે તેવો ધર્મ એ જ તીર્થ. આ ધર્મનું સ્વરૂપ અહિંસા સંયમ અને તપ વડે નિર્માણ થાય છે.
આવશ્યક ટીકાનો બીજા અર્થ- ધર્મપ્રધાન તીર્થ એવો કરીએ તો ચતુર્વિધ શ્રીસંઘ એ ધર્મપ્રધાન તીર્થ છે જેના આલંબનથી સુધર્મની આરાધના થાય છે. તીર્થંકરો ધર્મના અનન્ય આલંબનરૂપ આ ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીર્થનું પ્રવર્તન કરનારા હોવાથી ધર્મ તીર્થંકર કહેવાય છે. પ્રથમ ગાથામાં ‘જિણે' શબ્દની વ્યાખ્યા- તેમણે ક્રોધ, માન, માયા અને લોભ ને જીતી લીધા હોવાથી તેઓ જિન કહેવાય છે. સાધક ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાનક વટાવી તેરમા સયોગી કેવલી ગુણસ્થાને પહોંચે તે અવસ્થા એ ‘જિન’ની અવસ્થા છે. આ અવસ્થા સામાન્ય કેવલીને પણ હોય છે. ચોવીસ જિન સામાન્ય કેવલી નથી માટે જિણે પછી અરિહંતે શબ્દ યોજેલો છે. તે ચોંત્રીસ અતિશયોથી યુક્ત પદ છે. અરિહંતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી ચઢિયાતા છે તેમ દર્શાવેલ છે. આ ચોત્રીસ અતિશયોમાં ચાર જન્મથી પ્રાપ્ત-સહજ હોય છે, અગ્યાર અતિશયો ચાર ઘાતી કર્મોનો ક્ષય થતા ઉત્પન્ન થાય છે - કર્મક્ષયજ અને ઓગણીસ અતિશયો ભક્તિવશાત્ દેવતાઓ કરતા હોવાથી દેવકૃત તરીકે ઓળખાય છે.૧૯
અરિહંત પદમાં મૂલપદ અરિહંત છે. અરિહંત એટલે અર્હત્ - તે સંસ્કૃતભાષાનો શબ્દ છે. પ્રાકૃતમાં અરિહંત શબ્દને ઉચ્ચારભેદે અરહંત અને અરુહંત શબ્દ પણ પ્રાપ્ત થાય છે. આવશ્યક નિર્યુક્તિમાં ૧૧અરિહંત અને અરહંત શબ્દો પર નિર્યુક્તિ મળે છે જ્યારે શ્રી મહાનિશીથસૂત્રમાં ત્રણેય શબ્દોનું અર્થવિવેચન થયું છે. ‘અરિહંત’ માટેનો એક શબ્દ ‘અરિહા’ પ્રાચીન સમયમાં વિશેષ પ્રમાણમાં પ્રચલિત હતો. આ બધાં શબ્દોનું મૂળ
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org