________________
પ્રક્રણ-૪
બીજું અધ્યયન ચતુર્વિશતિસ્તવ પ્રાસ્તાવિક :
ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચોવીસ જિનવરોની સ્તુતિ." આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોનું સ્તવન એ દ્વિતીય આવશ્યક છે. શ્રાવક માટે આ સ્તવ દ્રવ્ય અને ભાવ બરૂપે કરણીય આવશ્યક છે, જ્યારે સાધુ માટે તેઓ સચિત્ત પરિહારી હોવાથી ફક્ત ભાવ આવશ્યકરૂપે કરણીય છે.
આ ચોવીસ તીર્થકરોમાં ગુણોની સમાનતા છે. તે બધા જ એક સરખા સ્તવના કરવા યોગ્ય છે. તેમનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અલગ અલગ હોવા છતાં તેમની પ્રાભાવિકતા, શક્તિ અને અતિશયો સમાન હોય છે. જ્ઞાનની દ્રષ્ટિએ તેઓ ઘાતકર્મોનો ક્ષય વડે ઉત્પન્ન થતા કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત હોય છે. આ તેમનો જ્ઞાનાતિશય થયો. તેમની વાણી પાંત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (વચનાતિશય). તેઓ સુર, અસુર અને મનુષ્યોના સ્વામીથી પૂજય હોય છે. (પૂજાતિશય). તેઓ જ્યાં જયાં વિહરે છે ત્યાં ત્યાં અપાયો (ઉપદ્રવો-મુકેલીઓ)નો અપગમ-નાશ થાય છે અથવા ધાતી કર્મ રૂપી અપાય દૂર થયો છે તે, (અપાયપગમાતિશય). શ્રી જિનેશ્વરોનું તે આત્મભૂત લક્ષણ છે. આ ચાર અતિશયો ઉપરાંત અષ્ટ પ્રાતિહાર્યો એ તીર્થકરોની વિશેષતા છે. તે પ્રાતિહાર્યોનો ભગવાનના આત્મા સાથે સીધો સંબંધ નથી. આ પ્રમાણે ચાર અતિશયો અને અષ્ટપ્રાતિહાર્યોથી શ્રી અરિહંતના બાર ગુણોનું વર્ણન કરવામાં આવે છે. આ ઉપરાંત ચોવીસ તીર્થકરો તેમના ધર્મ-પ્રવર્તન દ્વારા ધર્મ-માર્ગને વિશ્વમાં સ્થાપિત કરે છે. ચોવીસ તીર્થકરોનું અંતરંગ સ્વરૂપ :
આવશ્યક સૂત્રના બીજા અધ્યયનને “ચઉવીસન્થય કહે છે. આ સૂત્રનો પ્રારંભ લોગસ્સ શબ્દથી થાય છે એટલે તે લોગસ્સ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. આ એક પ્રાચીન સૂત્ર છે અને તેનો સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન તથા કાર્યોત્સર્ગમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કોઈપણ ક્રિયા આ સૂત્રના ઉપયોગ વિના યથાર્થ રીતે થઈ શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org