SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રણ-૨ એક વિહંગાવલોક્ન : પ આવશ્યક પ્રાસ્તાવિક : આવશ્યક એટલે શું? જે ક્રિયા અવશ્ય કરવા જેવી હોય તેને આવશ્યક કહે છે. પ્રાકૃતમાં “આવસ્મય'- જે કર્મોને વશીભૂત કરે છે અને તે દ્વારા કર્મો ઉપર અંકુશ મેળવે છે તેને પણ આવશ્યક કહેવાય. સમ્યકત્વમાં નિર્મળતા અને ચારિત્રમાં દઢતા ઉત્પન્ન થતી હોય તેવી ક્રિયાને પણ આવશ્યક' કહે છે. આવશ્યકના પર્યાયો અનેક છે. અનુયોગ દ્વાર સૂત્રની ગાથામાં આવશ્યકના પર્યાયશબ્દો તરીકે ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયન, ષડૂ વર્ગ, ન્યાય, આરાધના અને માર્ગનો નિર્દેશ થયો છે. ૧ જે દિવસ અને રાત્રિના અંત ભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્ય કરવા યોગ્ય છે તેથી તે આવશ્યક કહેવાય છે. આવશ્યક એક સમાસાદનો સૂચક છે. તેમાં વિવિધ ક્રિયાઓનો સમુદાય સમાએલો છે. તે માટે અનુયોગ દ્વાર સૂત્રમાં વિશેષ સ્પષ્ટતા અને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આવશ્યકોનો આ સમુદાય સંક્ષેપમાં કહ્યો છે. હવે પછી તેમાંના એક એક અધ્યયનનું અત્રે વર્ણન કરવામાં આવશે, તે આ રીતે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૯) પ્રત્યાખ્યાન. અનુયોગ દ્વાર સૂત્રમાં શાસ્ત્રકારે પ્રત્યેક અધ્યયનનું વર્ણને નીચેના અર્થાધિકારો દ્વારા કર્યું છે. આવશ્યકોના અધિકારો : આવશ્યકોના અર્થાધિકારો આ પ્રમાણે છે. સામાયિકનો અર્થાધિકાર એટલે સાવઘયોગવિરતિ, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર એટલે સદ્ભુત ગુણોનું કીર્તન, વંદનકનો અર્વાધિકાર એટલે ગુણવાન ગુરુનો વિનય અને પ્રતિપત્તિ; પ્રતિક્રમણનો અર્થાધિકાર એટલે અલિત આત્માની નિંદા; કાયોત્સર્ગનો અર્થાધિકાર એટલે મહાનદોષરુપ ભાવવ્રણ ચિકિત્સા અને પ્રત્યાખ્યાનનો અર્થાધિકાર એટલે નાનાવિધ સંયમગુણની ધારણા. ૧૫ For Private & Orsonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy