________________
ચતુર્થ વર્ગ.
એવા શ્રી નેમિનાથ ભગવાનનું મનમાં સ્મરણ કરતાં મનુષ્યને નિદ્રાકાળે દુષ્ટ સ્વપનો આવતાં નથી. ૨૪
अश्वसेनावनीपालवामादेवीतनूरुहम् । श्रीपार्श्व संस्मरन् नित्यं दुःस्वप्नं नैष पश्यति ॥२५॥
ભાવાર્થ–અશ્વસેન રાજા અને વામદેવના પુત્ર શ્રીપાર્શ્વનાથ પ્રભુનું સદા સ્મરણ કરતાં માણસને દુ:સ્વપન કદિ જોવામાં આવતું નથી. ૨૫
श्रीलक्ष्मणांगसंभूतं महसेननृपांगजम् ।। चंद्रप्रभ स्मरंश्चित्ते सुखनिद्रां लभेदसौ ॥ २६ ॥
શ્રી લક્ષ્મણદેવી અને મહસેન ભૂપતિના પુત્ર શ્રી ચ - પ્રભુનું મનમાં સ્મરણ કરતાં પુરૂષ સુખે નિદ્રા પામી શકે છે. ૨૬
सर्वविघ्नाहिगरुडं सर्वसिद्धिकरं परम् ।। ध्यायन् शांतिजिनं नैति चौरादिभ्यो भयं नरः ॥ २७ ॥
ભાવાર્થ–સર્વ વિઘરૂપ સપનો નાશ કરવામાં ગરૂડ સમાન તથા સર્વ સિદ્ધિને કરવાવાળા એવા શ્રી શાંતિનાથનું ધ્યાન કરતાં પુરૂષ ચારાદિકથી કદિ ભય પામતો નથી. ર૭ इत्यवेत्य दिनकृत्यमशेष श्राद्धवर्गजनितोत्तमतोषम् । यच्चरनिह परत्र च लोके श्लोकमेति पुरुषो धुतदोषम् ॥२८॥
ભાવાર્થ–એ પ્રમાણે સમજી શ્રાવકવર્ગને ઉત્તમ સંતોષ પમાડનાર સમસ્ત દિનકૃત્ય આચરતો પુરૂષ નિર્દોષ બનીને, આ લેક તથા પરલોકમાં કીર્તિનું ભાજન થાય છે. અર્થાત્ આ લોકમાં યશ અને પરલોકમાં સદ્ગતિને પામે છે. ૨૮ એ રીતે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને ચેાથે વર્ગ સમાપ્ત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org