________________
શ્રી માયાધાપોશ.
નિરભિમાની વૃત્તિ, ૧૮ વિનીત—વિનયવાન, ૧૯ કૃતજ્ઞ–અન્ય કરેલા ઉપકારનો જાણુ–અદલે વાળનાર, ૨૦ પરહિતકારી–પરને ઉદ્ધાર કરવાની તત્પરતા, ૨૧ લબ્ધલક્ષ–કઈ પણ કાર્યને સરલ રીતે સાધી શકે તેવી કાર્યદક્ષતા. આ એકવીશ ગુણોને લઈને મનુષ્ય ધર્મરત્નને યોગ્ય થઈ શકે છે. ૬. ૭. ૮.
प्रायेण राजदेशस्त्रीभक्तवार्ता त्यजेत्सुधीः । यतो नार्थागमः कश्चित्प्रत्युतानर्थसंभवः ॥६॥
ભાવાર્થ–સુજ્ઞ શ્રાવકે પ્રાય: રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથાનો ત્યાગ કરે કારણ કે તેનાથી કાંઈ કામ તો સરતું નથી, પણ ઉલટે અનર્થ નીપજવા સંભવ રહે છે. ૯
सुमित्रैर्बधुभिः सार्द्ध कुर्याद्धर्मकथां मिथः।। विद्वाद्भिः सह शास्त्रार्थरहस्यानि विचारयेत् ॥१०॥
ભાવાર્થ–સુમિત્રો અને બંધુઓની સાથે પરસ્પર ધર્મકથા કરવી તેમજ શાસ્ત્રાર્થ જાણ એવા વિદ્વાન સાથે શાસ્ત્રાર્થના તત્વને વિચાર કર. ૧૦
पापबुद्धिर्भवेद्यस्माद् वर्जयेत् तस्य संगतिम् । कायेन वचनेनापि न्यायं मुंचेन्न कर्हिचित् ॥ ११ ॥
ભાવાર્થ—જેમની સેબતથી પાપબુદ્ધિ ઉત્પન્ન થાય, તેવા પુરૂષની સંગત ન કરવી, તેમજ મન શરીર કે વચનથી પણ ન્યાય પ્રમાણિકપણાને કદાપિ ત્યાગ ન કર. ૧૧
अवर्णवादं कस्यापि न वदेदुत्तमाग्रणीः पित्रोर्गुरोः स्वामिनोऽपि राजादिषु विशेषतः ॥ १२ ॥
ભાવાર્થ–ઉત્તમ પુરૂષે કેઈના પણ અવર્ણવાદ ન બોલવા, તેમાં પણ વિશેષે કરીને માબાપ, ગુરૂ, સ્વામી (શેઠ કે ઉપરી) અને રાજાદિકના અવર્ણવાદ તો ન જ બલવા. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org