________________
પ્રકાશકીય
જડવાદના ઝેરી જમાનામાં ગામડે..... ગામડે..... ઘેર...... ઘેર...... ટી.વી.વિડીયો, ચેનલોના વ્યાપકફેલાયેલદુષણો વચ્ચે કુમળું બાળમાનસ અભડાઈ ન જાય એવી તો દરેક સુજ્ઞ વડિલોની અપેક્ષા હોય જ આ દુષણથી કંઈક અંશે બચવા માટેબાળસંસ્કારને પોષક, સંવર્ધક સાહિત્યનીતાતી આવશ્યકતાછે.
આજનો બાળ ભાવિમાં શાસનનો રખેવાલ બની શકે એ હેતુથી જ બાલ્યાવસ્થાથી જ... જૈન શાસનની ગૌરવવંતી, રોચક બોધક કથાઓનું વાંચન, શ્રવણ કરે અને એમાં પણ વિવિધરંગી ચિત્રો સાથે વાર્તાનું પ્રકાશન... વધારે ઉપકારક બની શકે એ ઉદ્દેશથી આજથી પ્રાયઃ બાર વર્ષ પૂર્વ પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી અને તપસ્વીરત્ન અમારા પરમઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના સદુપદેશથી સૌથી પ્રથમએક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર) થી ચરિત્ર પ્રકાશનોનો પ્રારંભ થયો એ પછી દર વર્ષે એક સચિત્ર પ્રકાશન સાથે એક મજેની વાર્તા (ધન્યકુમાર)નીહિન્દી, ઈગ્લીશઆવૃત્તિઓસાથેનીદ્વિતીયાવૃત્તિ તેમજ એક સરસ વાર્તા (સમરાદિત્ય) ની પણ દ્વિતીયાવૃત્તિપ્રસિદ્ધ કરવી પડે એ જ પ્રકાશનોની લોકપ્રિયતાબતાવેછે.
અમને એ વાતનું ગૌરવ પણ છે કે અમારાસચિત્રપ્રકાશનોનાંપ્રારંભ પછી આજે જૈન શાસનમાંબીજા પણ અનેકબોધકસચિત્રપ્રકાશનોનિહાળવામળેછે.
ગત વર્ષ શ્રમણ ભગવંત મહાવી૨ ૫રમાત્માનું ૨૬૦૦મું જન્મકલ્યાણક વર્ષ હતું. ગત વર્ષે અમારા ટ્રસ્ટ તરફથી શ્રમણ ભગવાન મહાવીર (સત્યાવીસ ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org