SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ સ્વામિ ધાતકીખંડ દ્વીપ ઐરાવત ક્ષેત્ર જ્યાં વસતા પ્રજાજનો ક્ષેમકુશલ જ હોય એવી ક્ષેમપરા નામે વિશાલનગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી પ્રભાવશાળી રાજવી રાજ્ય કરી રહ્યો હતો. સજ્જનોનો સત્કા૨ અને દુર્જનોને દંડ તેના રાજ્યનો આ પ્રસિદ્ધ નિયમ હતો પરિણામે રાજ્યમાં પ્રજાનેકોઈપણ જાતનીતકલીફ હતી નહીં. વિવેકી રાજાનાહૈયામાં ધર્મપરિણતિને પામેલોહતો એકવખતનગરમાંભયંકર દુષ્કાળ પડ્યો ! પ્રજાજનો ક્ષુધા અને તૃષાથી આકુળ-વ્યાકુળબની ગયા આ પ્રસંગે તે પરોપકારીરાજવીએપોતાનીઅન્નશાળાખૂલી મૂકી દીધી....! રાજાની પાકશાળામાં રોજ ઉત્તમવસ્તુઓ બનવા લાગી, સુકાળમાં જે વસ્તુઓ સામાન્ય માનવી માટે અલભ્ય હોય તેવી ઉત્તમવસ્તુઓદુષ્કાળમાં પણ લોકોનેમળવા લાગી......! સકલ સંઘની સુંદર દ્રવ્યો દ્વારા અપૂર્વ ભક્તિ કરવા દ્વારા અનેક જનોને શાતાપમાડીસમાધિનુંપ્રદાનકરનારાતે રાજવીએતીર્થંકરનામકર્મઉપાર્જન કર્યું. ! એક દિવસ સંધ્યા સમયે રાજમહેલની અગાસીમાં રહેલા રાજવી ઘટાટોપ થયેલા મેઘને પ્રચંડ પવન દ્વારા છિન્ન-ભિન્નથતોનિહાળીસંસારની ક્ષણભંગુરતાયાદ કરી વૈરાગ્ય પામી સ્વયંપ્રભસૂરિ નામના આચાર્ય ભગવંત પાસે સંયમ અંગીકાર કરી સમાધિમરણપામી આનતનામે નવમા દેવલોકમાં રાજા ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રમાંસુંદર, સમૃદ્ધ એવી શ્રાવસ્તીનગરીમાં જેણે બાહ્ય શત્રુઓને જીતી લીધા છે અને અત્યંતર શત્રુઓને જીતવા માટે જેમનો સતત પુરુષાર્થ ચાલુ છે તેવા જિતારિ રાજાને ત્યાં પટ્ટરાણી સેનાદેવીની કુક્ષિએ ફાગણ સુદ અષ્ટમીના Jain Education International ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy