SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નવ મહિના અને સાડા આઠ દિવસ વ્યતીત થયા બાદ મહા સુદ અષ્ટમીના પુણ્યવંતા દિવસે રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ ગજલાંછન થી સુશોભિત સુવર્ણવર્ગીકાયાવાળા પુત્રને જન્મ આપ્યો! તીર્થંકર પરમાત્માનો જન્મથયેલો જાણી ૫૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો આદિએ પોતાના શાશ્વત આચારપ્રમાણે પ્રભુનો જન્મમહોત્સવઉજવ્યો ! જિતશત્રુ રાજાએ પણ પોતાના પ્રાણપ્યારાનંદનનો જન્મમહોત્સવઅપૂર્વ ઉજવ્યો! કુમારના નામકરણ સમયે કુમાર ગર્ભમાં હતો ત્યારે એના પ્રભાવથી શત્રુઓ તો પરાજય પામેલા પણ પાસાની રમતમાં સ્વયં જિતશત્રુ રાજા પણ વિજયાદેવી પાસે પરાજિત થઈગયેલા તેથી જ પુત્રનું ‘અજિત’ એવું સુંદરનામપાડ્યું. અજિતકુમાર યુવાવસ્થાના પ્રાંગણમાં પહોંચતા જ જિતશત્રુ રાજાએ વિનીતાનું રાજ્ય અજિતકુમારનેસોંપીને પોતે પ્રવ્રયાઅંગીકારકરી આત્મશ્રેયસાધી લીધુ...! સંસાર સુખમાં નિરીહ એવા સ્વામિ અજિત નાથ પ્રભુએ પ૩ લાખ પૂર્વ સંસાર વાસમાં વ્યતીત કર્યા...! પ્રભુની દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે નવ લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષા માટે વિનંતી કરી પ્રભુએ ત્યારથી જ વાર્ષિક દાનનો આરંભ કર્યો.... પોતાના પિત્રાઈબંધુ સગરકુમારનો રાજયાભીષેકકરી અજિતનાથ પ્રભુ મહાસુદ નવમી ના દિવસે સુપ્રભા નામની પાલખીમાં બેસી હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા સ્વામિ સહસ્ત્રાપ્રવનનામના ઉદ્યાનમાં આવ્યા ત્યાં સપ્તછદ વૃક્ષની નીચે છ3નો તપ કરેલો છે તેવા અજિતનાથ સ્વામિએ સર્વસાવધનાત્યાગરૂપ સર્વવિરતિનું પચ્ચખાણ ૫૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy