SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમતીર્થંકરભગવંતના વંશની સ્થાપનાનીજેમવિવાહ મહોત્સવ કરવો એ પણ મારો આચાર છે એમસમજી સૌધર્મેન્દ્ર મહારાજા – ઋષભકુમારનાલગ્ન મહોત્સવમાં સપરિવાર પધારેલા અને પ્રભુનો પાણિગ્રહણમહોત્સવઅદ્ભુતરીતીએ ઉજવાયો ! સમય સરિતાની જેમઅવિરત ગતિએ ચાલ્યો જ જાય છે. ! ઋષભ પત્ની સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ ઓજસ્વી યુગલને અને સુનંદાએ બાહુબલી અને સુંદરી રૂપ તેજસ્વી યુગલને જન્મ આપ્યો ! ત્યારબાદ ક્રમશઃ સુમંગલાએ બીજા ૪૯ પુત્રયુગ્મનેજન્મ આપ્યો. પ્રભુ ... ૧૦૦ પુત્રો અને બે પુત્રીના પિતા બન્યા...! યૌવનાવસ્થામાં પ્રવેશ થતા જ લગ્નના બંધને બંધાઈ ગયેલા ઋષભકુમારનેભાવિમાં પ્રથમ તીર્થંકર બનતા પહેલા રાજાઋષભતરીકે રાજસત્તાનીસ્થાપનાકરવાનીહતી...! યુગલિક કાળમાં ક્યારેય રાજસત્તાની આવશ્યકતા હતી નહીં દુષ્ટોને દંડ અને શિષ્ટોના સંરક્ષણ માટે રાજ્યવસ્થાની આવશ્યકતા હોય છે પણ તે કાળમાં યુગલિકો સરળ, ભદ્રિક હતા કે ક્યારેય કોઈના હૃદયમાં દુષ્ટતાનો પ્રવેશ જ થતો નહીં ક્રોધાદિ કષાયો એમના જીવનમાં અતિ અલ્પ હતા આ કષાયોની અલ્પતાના એકમેવ કારણે જયુગલિકો મૃત્યુ પામી સીધા દેવલોકમાંજ પહોંચતાહતા...! ક્રમશ : કાળના પ્રભાવે... તે આત્માઓની પણ કષાયોની માત્રા વધવા લાગી..!તેથીનાના...નાનાઅપરાધોથવાલાગ્યા..!એ અપરાધોનાનિવારણ માટે અગાઉના કુલકોના સમયમાં હકાર, મકાર અને ધિક્કાર આ ત્રણ પ્રકારની દંડનીતિઓ નિર્ધારિત થયેલી પણ કાળના પ્રભાવે આ મર્યાદાનું પણ ઉલ્લંઘન થવા લાગ્યું...!યુગલિકોઆવીનેઋષભકુમારપાસેફરિયાદ કરવાલાગ્યા..! ‘‘ભદ્રજનો ! મર્યાદાનું ઉલ્લંઘન કરનાર આત્માઓને શિક્ષા કરવી જોઈએ એ Jain Education International ૨૩ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy