SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઈંદ્ર મહારાજા પ્રભુના વંશની સ્થાપના કરવા માટે પ્રભુ પાસે આવે છે સ્વામી પાસે ખાલી હાથે શું જવાય ! એમવિચારી એક ઈક્ષયષ્ટિ (શેરડીનો સાંઠો) લઈને પ્રભુ પાસે આવે છે. બાળ ઋષભકુમારે ઈક્ષયષ્ઠિ લેવા માટે પોતાનો હાથ પ્રસાર્યો પ્રભુને ઈશુનો અભિલાષ થયો તેથી તેમનાવંશનું નામઈક્વાકુએ પ્રમાણે પાડ્યું...! યુગલિક કાળમાં એ પરંપરા ચાલી આવતી હતી સાથે જન્મેલા યુગલિક ભાઈબહેનનાજ અરસપરસલગ્ન થાય...! - પ્રભુના સુમંગલાની સાથે તો લગ્ન નિશ્ચિત હતા પણ તે સમયમાં એક એવો પ્રસંગ બની ગયેલ કે એક યુગલિક બાળયુગ્મ તાડવૃક્ષની નીચે ક્રીડા કરી રહ્યું હતું. અચાનક જ એ તાડવૃક્ષનું મોટું ફળ બાલક ઉપર પડતા જ એ બાળકનું ત્યાંજ મરણ થઈ ગયું ! યુગલિકમાંની બાલિકા એકલી પડી ગઈ ! યુગલિકોમાં આ પ્રકારે અપમૃત્યુ પહેલું જ થયું...! બાલિકા તેના માતા-પિતાજિવિત હતા ત્યાં સુધી તેમની પાસે રહી પણ એ બાલિકા ૫૪ દિવસની થઈ ત્યારે તેના માતાપિતા પણ મૃત્યુ પામ્યા...!નાની બાલિકાનેલોકો નાભિ કુલકર પાસે લઈ આવ્યા નાભિકુલકરે કહ્યું ઓહ...! આ બાલિકા હવે ઋષભકુમારની સાથે જ રહેશે ઋષભ સાથે જ એના લગ્ન થશે! તેનું નામ સુનંદા એ પ્રમાણે ઉદ્દ્યોષિત થયું પ્રભુનો યૌવન અવસ્થામાં પ્રવેશ થતાજ સુનંદા અને સુમંગલા સાથે પાણિગ્રહણમહોત્સવ ઉજવાયો. ૨ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy