SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિભૂતિ બ્રાહ્મણ થયા ત્રિદંડી સંન્યાસી બની આયુષ્ય પૂર્ણ કરી અગિયારમાં ભવમા સનસ્કુમાર દેવલોકમાં મધ્યમસ્થિતિ વાળા દેવ થયા બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ બની ત્રિદંડી વેશ સ્વીકારી ચુંમાલીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી તેરમાં ભવે મહેન્દ્રદેવલોકમાં મધ્યમસ્થિતિવાળાદેવ થયા.ચૌદમાં ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા અંતે ત્રિદંડી વેશ સ્વીકારી પંદરમાં ભવમાં પાંચમાદેવલોકમાં મધ્યમસ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવનપામી અનેક સૂક્ષ્મભવોપ્રભુનાથયા. | ભવ ૧૬ થી ૨૧ મરિચિના ભવમાં કરેલ કુળમદના કારણે નીચ ગોત્રકર્મના પ્રભાવથી ભગવાનના આત્માને પાંચ થી પંદરભવસુધીમાં છ વાર મનુષ્યપણું મળવાછતા પણ સુદેવ...સુગુરુ સુધર્મનો યોગ તે આત્માને મળી શક્યો નહીં. અરે ! સમ્યકત્વ પણ મળી શક્યું નહીં. છેકસોલમાંભવે સમ્યકત્વરત્નની પ્રાપ્તિએ આત્માને થશે સોલમાં ભવે રાજગૃહી નગરીના યુવરાજ વિશાખાભૂતિના પુત્ર તરીકે વિશ્વભૂતિ કુમાર બન્યા. દેવકુમાર જેવા અદભુત રૂપ અતુલ બળવાળા વિશ્વભૂતિ પ્રત્યે પિતરાઈભાઈ વિશાખાનંદી હરહંમેશ ઈમ્પ્રભાવને ધારણ કરતો હતો એક અવસરે કપટ કરીને જયારે વિશાખાનંદીએ વિશ્વભૂતિને અંતઃપુર સાથે પુષ્પકરંડક ઉદ્યાનમાંથી બહાર કાઢ્યા ત્યારે રોષમાં કોઠાના વૃક્ષ ઉપર એક મુષ્ટિદ્વારા પ્રહાર કરી કોઠાનાફળો જુદા પાડી દીધા અને પોતાના પિતરાઈબંધુ આદિ બધાને કહ્યું... “આ રીતીએ તમારા બધાના મસ્તકો જુદા પાડવાની મારામાં શક્તિ છે. પણ વડિલોની ભક્તિના કારણે આવું અકાર્ય હું કરતો નથી મારે આવા સંસારથી જ સર્યુ” એમકરી વિશ્વભૂતિ રાજકુમારે દીક્ષા લીધી અનેકવિધ તપો કરી માસક્ષમણ ના પારણે Jain Education International ર ર For Private ૧ Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy