SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની આજ્ઞા વિના એ પ્રભાવતીનો સ્વીકાર ક્યાંથી કરે ! અને આમ પણ પાર્શ્વકુમારતો વિરાગીણતા વિરાગી આત્માને સંસારના બંધનો શું ફાવે! પાર્શ્વકુમાર તો કુશસ્થલ નગરથી પુનઃ વારાણસી નગરીમાં આવી ગયા. પ્રસેનજિત રાજા રાજકુમારી પ્રભાવતીને લઈને વારાણસી નગરીમાં આવ્યા...! અશ્વસેનમહારાજાએરાજવીનું આદરપૂર્વકસ્વાગત કર્યું! રાજન્ ! અમારી કુમારીનો પાર્શ્વકુમાર માટે સ્વીકાર કરો ! અશ્વસેન રાજા અને વામાદેવી રાણી ના મનમાં આનાથી વિશેષ આનંદનો અવસર બીજો શું હોય ! પાર્થકુમારને માતાપિતાએ ખૂબ જ આગ્રહ કર્યો અંતે પોતાના ભોગાવલી કર્મ શેષ છે એમ સમજી પાર્શ્વકુમારેપ્રભાવતી સાથે વિરાગભાવે લગ્ન કર્યા! | એક દિવસ પાર્શ્વકુમાર પોતાના મહેલના ઝરૂખામાં બેસી નગરચર્યા નિહાળી રહ્યા છે ત્યાં તો પાર્શ્વકુમારને આશ્ચર્ય થયું નગરના લોકો બધા એક જ દિશા તરફ હાથમાં પૂજાપાની વિવિધ સામગ્રીઓ લઈને જઈ રહ્યા છે ! પાર્શ્વકુમારે તપાસ કરાવતા જાણવા મળ્યું કે કમઠ નામનો ગરીબ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થયેલો બાળક ગરીબીથી ત્રાસીને ભાવિમાં વૈભવ મેળવવા માટે વિવિધ પ્રકારના તપો કરી રહ્યો છે. તે તપસ્વીના દર્શન માટે તેની પૂજા માટે લોકો જઈ રહ્યા છે અહીં એ કમઠ પંચાગ્નિ નામે ઉત્કૃષ્ટતપતપી રહ્યો છે ! પાર્થકુમાર પણ એ તાપસના તપને જોવા માટે પરિવાર સાથે ત્યાં પધાર્યા ! અગ્નિકુંડમાં વચ્ચે કાઠમાંસળગી રહેલાસર્પને અવધિજ્ઞાનીપ્રભુએનિહાળ્યો! તરત જ પાર્શ્વકુમારે તાપસને કહ્યું ! “તપસ્વી ! દયાએ સઘળાએ ધર્મોની જનેતા છે. આ અગ્નિકુંડમાંપંચંદ્રિયસર્પજલી રહ્યો છે ! એ તમને ખ્યાલ નથી આવતો? Jain Education International ૨OO. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy