SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર ધનુષ્યની કાયાવાળા નમિકુમારે અઢી હજાર વર્ષ કુમાર અવસ્થામાં પસાર કર્યા. પાંચ હજાર વર્ષ સુધી નમિકુમારે રાજ્યનું સુખરૂપ પાલન કર્યું. લોકાંતિક દેવોની વિનંતીથી પ્રેરાયેલા પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપી પોતાના પુત્ર સુપ્રભને રાજ્ય સોંપી હજા૨ો દેવો મનુષ્યોથી પરિવરેલા મિકુમાર દેવકુરુ નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પધાર્યા. છઠ્ઠના તપસ્વી પ્રભુએ એક હજાર રાજાઓ સાથે અષાઢ વદ નવમી (જેઠ વદ નવમી)નાદિવસે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. ત્યાંજપ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે વિરપુર નગરમાં દત્ત નામે રાજવીને ત્યાં પ્રભુએ પરમાશથી પારણું કર્યું. પંચ દિવ્યો પ્રગટ થયા. પ્રભુ પુનઃ મિથિલાનાસહસ્ત્રાપ્રવનઉદ્યાનમાં પધાર્યા. છઠ્ઠ તપના તપસ્વી ૫રમાત્મા બોરસલીના વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. માગસર સુદ અગિયારસનેદિવસે અશ્વિની નક્ષત્રમાં પરમાત્માને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમોવસરણની રચના કરી. એકસો એંસી ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે પ્રભુએ ધર્મદેશના આપી સંસારની ક્ષણભંગુરતાઉપર પ્રભુની રોચક દેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરત-દેશવિરતિ અંગીકાર કરી કુંભ આદિ સત્તર ગણધરોનીસ્થાપનાથઈ. Jain Education International ૧૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy