SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાઓ અત્યંત આનંદિત બની ગયા. મલ્લિકુમારીએ મને જ મળવા જણાવ્યું છે માટે મને જ પરણશે એવી આશા લઈને છ એ રાજવીઓ ગુપ્ત પણે રાજમહેલમાં પહોંચ્યા. બધા રાજાઓ મલ્લિકુમારીની પ્રતિમા નિહાળી મલ્લિકુમારીના અદભુત રૂપ સૌંદર્ય ઉપર આફરીનપોકારી ગયા! મલ્લિકુમારી એ વાસ્તવિક્તાનું જ્ઞાન કરાવવા માટે સુવર્ણકમળનું ઢાંકણ ખોલાવ્યું. અને ક્ષણવારમાંસડેલા અનાજનીદુર્ગધ ફેલાઈગઈ! છ એ રાજાઓએ નાક ઉપર રૂમાલ ઢાંકી દીધો ! મોઢું ફેરવી નાંખ્યું તરત જ મલ્લિકુમારીઆવી!અનેમધુરસ્વરે બોલી “મહાનુભાવો! આ પ્રતિમા તો સુવર્ણનીછે ફક્ત થોડા દિવસોથીજ નાંખેલા એકાદ કોળિયા અનાજની દુર્ગધ તમારાથી સહન થઈ શક્તી નથી તો આ શરીરમાં પણ બીજુ શું છે ! માંસ રૂધિર વિષ્ટા જેવા અનેક દુર્ગધી પદાર્થો આ શરીરમાં ભરેલા છે ચામડીના આવરણથી જ તમે મોહિત બન્યા છો. તમારો પૂર્વભવ તો વિચારો! આપણે સાતે એ સાથે દીક્ષા લીધેલી અનેક પ્રકારની તપશ્ચર્યા સાધના સાથે કરેલી વૈજયંતવિમાનમાં પણ આપણે સાથે હતા. આ વાત સાંભળીછ એ રાજવીઓને જાતિઃસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું! પોતાનો પૂર્વભવ નિહાળ્યો - મલ્લિકુમારીની સન્મુખ પોતાના અકૃત્યની ક્ષમા માંગી અને આપ તીર્થકર થશો ત્યારે અમે પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધીશું એવી ભાવનાથી વિદાય થઈગયા. મિથિલાનગરીના પ્રજાજનોએ મલ્લિકુમારીનો જય જયકાર કર્યો. ૧૫૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy