SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ સ્વામિ ચરિત્ર જંબુદ્રીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયમાં ખડગી નગરીમાં સિંહ જેવો પરાક્રમીસિંહાવહ રાજા રાજ્ય કરી રહ્યો છે. તે રાજાને ત્યાં ધર્મચર્ચાઓઅવારનવાર થતી હતી. સિંહાવહ રાજા દીન દુ:ખીઓને દાન આપવામાં ખૂબ જ આનંદ અનુભવતા હતા અંતે ધર્મતત્વનું સૂક્ષ્મસ્વરૂપ સમજેલા રાજવીએ સંવરાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરીસમાધિમરણપામીસર્વાર્થસિદ્ધવિમાનમાંમહર્હુિકદેવ થયા. ત્યાંથી ચ્યવન પામી આ જંબૂીપના ભરતક્ષેત્રના મુકુટરૂપ હસ્તિનાપુર નગરીમાં નામઅને કામથી શૂરવીર શૂર રાજાની પટ્ટરાણી શ્રીદેવીની કુક્ષિએ શ્રાવણ વદ નવમી (અષાઢ વદ નવમી) ના દિવસે કૃતિકા નક્ષત્રમાં પ્રભુનુ અવતરણ થયું. મહાદેવી શ્રીદેવીએ ચૌદ મહાસ્વપ્નો નિહાલ્યા. ! મહાદેવીના ઉદરમાં તીર્થંકરના આત્માનું તો અવતરણ થયેલુ જ સાથે એ પુણ્યાત્મા ના શિરે ચક્રવર્તી બનવાનુ પણ સૌભાગ્ય લખાયેલુ હતુ. વૈશાખ વદ ચતુર્દશી (ચૈત્ર વદ ચતુદર્શી) ના દિવસે કૃતિકા નક્ષત્રમાં મહાદેવી શ્રીદેવીએછાગનાલંછનવાળાઅને સુવર્ણવર્ગીકાયાવાળા પુત્રને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાનાશાશ્વતઆચારપ્રમાણેપ્રભુનો જન્મમહોત્સવ ઉજવ્યો. શૂર રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવ ઉજવી પ્રભુની માતાએ કુંથુનોરત્નસંચયસ્વપ્રમાંનિહાળેલોતેથી પુત્રનુ કુંથુ એ પ્રમાણે નામ પાડ્યું. Jain Education International For Private &PL 3 use only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy