SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે દિવસે મહાપુરનગરમાં સુનંદરાજાને ત્યાં પ્રભુનુ પારણું થયું. પંચ દિવ્યોત્યાં પ્રગટ થયા. પુનઃ પ્રભુ ચંપાનગરીના વિહારગૃહ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં પાટલ (ગુલાબ) ના વૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી. દસયતિ ધર્મ ઉપર તાત્વિક દેશના પરમાત્માએ આપી સૂક્ષ્મવિગેરે ૬૬ ગણધરોની સ્થાપનાનીસાથે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. શ્રી વાસુપૂજય સ્વામીના શાસનમાં હંસના વાહનવાળો કુમાર નામે યક્ષ અને અશ્વનાવાહનવાળીચંદ્રા નામે શાસનદેવી થઈ. શ્રી વાસુપૂજય સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના બીજા દ્વિપૃષ્ઠ વાસુદેવ, વિજયબળદેવ અને તારકનામે પ્રતિવાસુદેવથયા. શ્રીવાસુ પૂજયસ્વામિના ૭૨૦૦૦ સાધુ ભગવંતો ૯ ૧૦૦૦૦૦ સાધ્વીજી ભગવંતો ૧૨૦૦ ચૌદ પૂર્વી અવધિજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી ૪૭૮) વાદલબ્ધિધારી ૨૧૫OOO શ્રાવકો ૪૩૬૦૦૦ શ્રાવિકાઓ પ્રભુનો આ વિશાલ પરિવાર હતો વાસુપૂજય સ્વામિએ કુમારાવસ્થામાં ૧૮ લાખ વર્ષ, અને શ્રમણ જીવનમાં ૫૪ લાખ વર્ષ, કુલ ૭૨ લાખ વર્ષનું આયુષ્યપાળી ચંપાનગરીમાંજ અણસણ સ્વીકારી છે સો મહાત્માઓની સાથે અષાઢ સુદ ચતુર્દશીના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. શ્રેયાંસનાથ સ્વામિના નિર્વાણ પછી ૫૪ સાગરોપમે વાસુપૂજ્ય સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો. ચંપાપુરી વિભૂષણ શ્રી વાસુપૂજ્યસ્વામીના ચરણોમાં... ૫૪OO ૬૧OO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy