SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૭૬ ૪૭ સંસાર કારાવાસ છે : સંસારને છઠ્ઠી ઉપમા આપવામાં આવી છે કારાવાસ - કેદખાનાની. प्रियास्नेहो यस्मिन्निगऽसदृशो यानिकभटोपमःस्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव । मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्ग-विषमम्, । भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ સંસાર કેદખાનું-કારાવાસ છે. કારાવાસમાં ખુશી થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. - આ કારાવાસમાં જીવના હાથોમાં-પગોમાં જંજીરો પડી છે, તે જંજીરો છે પ્રિયાગ્નેહની, સ્ત્રી-મમત્વની. - એ કારાવાસનાં પ્રહરી-ચોકીદાર છે સ્વજન લોકો. દરેક પ્રહરે તેઓ બદલાતાં રહે છે. – સંસારના આ કારાવાસમાં જીવોને નવાં નવાં બંધનોથી બાંધવામાં આવે છે. તે બંધનો છે ધન...વૈભવ...દોલત. - સંસારના આ કેદખાનામાં સર્વત્ર ગંદકી પડી છે અને એમાંથી તીવ્ર દુર્ગધ ફેલાઈ રહી છે. આ ગંદકી છે અભિમાનની. – એ કેદખાનામાં સ્થળે સ્થળે દર છે - આપત્તિનાં દર. હવે કહો, આવા કેદખાનામાં બુદ્ધિમાન માણસને આનંદ આવી શકે ? સરકારે તો ત્રણ પ્રકારનાં કેદખાનાં બનાવ્યાં છે. First Class, Second Class અને Third Class. આ સંસાર (જીવની અંદરનો) તો થર્ડ કલાસ જેલો કરતાં ય વધારે ભયાનક છે. સંસારની કારાવાસના રૂપમાં કલ્પના કરજો. તમે અનુભવ કરશો કે “આપણે વાસ્તવમાં કારાવાસમાં છીએ. અને જ્યારે આ અનુભવ થશે, મનની વ્યાકુળતા દૂર થશે...ત્યારે કારાવાસમાંથી બહાર નીકળવાની ઈચ્છા થશે. તમને કારાવાસમાં રહેવું જરા પણ પસંદ નહીં આવે. સંસાર સ્મશાન છે : સંસારને સાતમી ઉપમા આપવામાં આવી છે સ્મશાનની. महाक्रोधो गृधोऽनुपरति शृगाली च चपला स्मरो लूको यत्र प्रकटकटुशब्दः प्रचरति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004544
Book TitleShravaka Jivan Part 4
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy