SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રાવક જીવન : ભાગ ૪ અને બંને પગ લૂછીને ગટરમાં ફેંકી દીધા. મુનિરાજ ચિત્કારી ઊઠ્યા, “અરે....તે આ શું કર્યું? લાખ રૂપિયાની રત્નકંબલ ગટરમાં નાખી દીધી? કોશાએ કહ્યું: “મુનિરાજ, આપ શું કરી રહ્યા છો? આપના ગુરુદેવે આપેલાં ત્રણ રત્નો - દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગટરમાં નાખી રહ્યા છો ને? ચાતુર્માસમાં આપ નેપાળ જઈ આવ્યા......હવે મારા સંગમાં આપને રંગરાગ ખેલવા છે ? મુનિરાજ, આ નરકમાં જવાનો રસ્તો છે. આપ પાછા જાઓ ગુરુદેવની પાસે. અહીં આપનું કામ નથી, એ તો એક જ સ્થૂલભદ્રજી છે કે જે કામદેવના ઘરમાં રહીને નિર્વિકાર રહ્યા, કામવિજેતા બન્યા.” સિંહગુફાવાસી મુનિ લજ્જિત થઈ ગયા, ભાનમાં આવ્યા, સ્વસ્થ થયા;મનમાંથી ઈષ ચાલી ગઈ. કોશાનો ઉપકાર માનીને તે ચાલ્યા ગયા. ઈષનો ત્યાગ કરો, ત્યાર પછી જ પ્રમોદભાવના દયમાં ઊભરાશે. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004544
Book TitleShravaka Jivan Part 4
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy