________________
ભાગ ૩
૨૭૭ – શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિ કરવા લાગ્યા. પાક્ષિક-પર્વના પારણાના દિવસે સાધર્મિક-વાત્સલ્ય કરવાનું શરૂ કર્યું.
પાÖદત્ત તેમજ પ્રિયશ્રીની ઈચ્છા શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાની થઈ. રાજા પ્રિયંકરે શત્રુંજય ગિરિરાજની સંઘયાત્રા કાઢી. સ્થળે સ્થળે સ્વામિવાત્સલ્ય કર્યો. અનુકંપાદાન આપતા ગયા. દાનશાળાઓ સ્થાપિત કરી. આ રીતે શત્રુંજય મહાતીર્થે પહોંચ્યા. ત્યાં શત્રુંજય તીર્થની તળેટીમાં જ પાર્શ્વદત્તનો સ્વર્ગવાસ થયો. રાજા પ્રિયંકરે પિતાનાં નામે શત્રુંજય પર્વત ઉપર એક દેવમંદિર બંધાવ્યું; મહોત્સવ કર્યો.
રાજા પ્રિયંકર પાછા નગરમાં આવી ગયા. તેમણે સોનાનું ‘રાયણવૃક્ષ બનાવ્યું. તેની નીચે ભગવાન ઋષભદેવની પાદુકા સ્થાપિત કરી. દરરોજ રાજા એની પૂજા કરવા લાગ્યા. આ રીતે ધર્મ-અર્થ-કામ ત્રણે પુરુષાર્થની ઉચિત આરાધના કરતાં વૃદ્ધ બન્યા. તેમણે વિચાર કર્યો: ‘હવે મારે જયંકરનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ. અને મારે વિશેષ રૂપે ધર્મઆરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ.'
જયંકરે રાજ્યનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે સમજાવ્યું. રાજનીતિ સમજાવી. રાજ્યાભિષેકનું શ્રેષ્ઠ મુહૂર્ત કઢાવ્યું અને મહોત્સવ સાથે તેનો રાજ્યાભિષેક કરાવ્યો.
રાજા પ્રિયંકરે રાજકાજ છોડી દીધું. – તેઓ આઠમ-ચૌદશના દિવસે પૌષધદ્રત કરતા હતા. – તેઓ સુપાત્રને દાન આપતા હતા. - પ્રતિદિન ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતા હતા. – શ્રી નમસ્કાર મહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્રના જાપમાં ધ્યાનમાં લીન
થતા હતા. જ્યારે લાગ્યું કે હવે મારું જીવન થોડું જ રહ્યું છે ત્યારે તેમણે અનશન વ્રત સ્વીકારી લીધું. તેમનું સમાધિ-મરણ થયું. મરીને તેઓ સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તે “મહાવિદેહ ક્ષેત્ર માં મનુષ્ય જન્મ પામશે. ત્યાંથી મોક્ષ પામશે.
આ કથા, ઉવસગહર સ્તોત્રના એકાગ્ર ધ્યાન-જાપ તથા દ્રઢ શ્રદ્ધા દ્વારા જે ફળ મળે છે, તેનું દિગ્ગદર્શન કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org