________________
ભાગ ૩
૨૬૭ દીધો. ઘેર આવતાં જ પ્રિયંકરે માતાપિતાના ચરણોમાં પ્રણામ કર્યા. વસુમતિએ પણ પ્રણામ કર્યા. માતાપિતાને દેવના વચન ઉપર વિશ્વાસ બેસી ગયો. પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી વિશેષ રૂપથી ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યાં. પ્રિયંકરને સ્વપ્ન આવ્યું?
એક દિવસે રાત્રિના સમયે પ્રિયંકરને સ્વપ્ન આવ્યું. પોતાના શરીરમાંથી તેણે આંતરડાં બહાર કાઢ્યાં અને એ આંતરડાંને લાંબાં કરીને સમગ્ર અશોકપુરને લપેટી દીધું. પછી તેણે પોતાના શરીરને સળગતું જોયું....... તે પાણીથી આગ હોલવે છે.
આ સ્વપ્ન જોઈને તે જાગી ગયો. સ્વપ્ન યાદ કરી લીધું અને શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન થઈ ગયો. સવાર પડતાં તેણે સ્વપ્નની વાત પાર્શ્વદત્તને કરી. પાર્ષદને કહ્યું: “આ વાત બીજા કોઈને કહેશો નહીં, તું ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જ, એમને આ સ્વપ્ન કહેજે અને ફળ પૂછજે.'
પ્રિયંકર ઉપાધ્યાયને મળ્યો. સ્વપ્નની વાત કહી. ઉપાધ્યાય પણ વિસ્મિત થઈ ગયા. તેમણે વિચાર્યું: ‘આ સ્વપ્નનું ફળ રાજ્યપ્રાપ્તિ છે. હું અત્યારે જ મારી પુત્રીના લગ્ન એની સાથે કરી દઉં.” પ્રિયંકરને સાથે લઈને ઉપાધ્યાય એમના ઘર તરફ ચાલ્યા. રસ્તામાં ખૂબ જ સારા શુકન થયા. ઘેર જઈને ઉપાધ્યાયે કુમારનું સન્માન કર્યું, અને પોતાની પુત્રી સોમવતી - જે રૂપવતી-લાવણ્યમયી હતી તેની સાથે કુમારનો વિવાહ નકકી કર્યો.
પ્રિયંકરે કહ્યું: “આ વિષયમાં હું કંઈ પણ જાણતો નથી. તમે મારા પિતા સાથે વાત કરજો. હું તો સ્વપ્નનું ફળ પૂછવા આવ્યો હતો. ત્યારે આપ મારી સાથે આપની પુત્રીના લગ્નની વાત કરી રહ્યા છો !” ઉપાધ્યાયે કહ્યું: “વત્સ, તું ઘેર જા, સ્વપ્નનાં ફળની વાત હું તારા પિતા સાથે કરીશ.” - પ્રિયંકરે ઘેર આવીને આખી વાત પિતાને કરી દીધી. પાર્શ્વદત્ત પુરોહિતને ઘેર ગયા. પુરોહિતે પાર્શ્વદત્તનું સ્વાગત કર્યું અને કહ્યું: “પ્રિયંકરનાં સ્વપ્નથી એ ફલિત થાય છે કે એ આ નગરનો રાજા થશે.'
પાર્શ્વદત્તે કહ્યું: “હે પંડિતવર, આપનું કહેવું સત્ય છે.”
પંડિતે કહ્યું: “એટલા માટે હું મારી પુત્રીનું લગ્ન પ્રિયંકર સાથે કરવા ઈચ્છું છું.' પાર્શ્વદત્ત પંડિતની વાત સ્વીકાર કરી લીધી.
સોમવતીની સાથે પ્રિયંકરને બે પત્નીઓ થઈ - પહેલી વસુમતી અને બીજી સોમવતી. આજે આ વાત અહીં છોડી દઉં છું, કાલે એને પૂર્ણ કરવા ધારું છું. આજે બસ, આટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org