________________
ભાગ ૩
પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી :
આ અશોકપુરમાં પાર્શ્વદત્ત નામનો એક ધનાઢ્ય શ્રેષ્ઠિ રહેતો હતો. તેની પત્નીનું નામ પ્રિયશ્રી હતું. ભાગ્યચંદ્રનો અસ્ત થઈ ગયો. દુર્ભાગ્યની રાતનો પ્રારંભ થયો - તે નિર્ધન થઈ ગયો. તેણે નગરનો ત્યાગ કર્યો. નજીકમાં જ ‘શ્રીવાસ’ નામનું એક નાનું ગામ હતું. પાર્શ્વદત્ત ત્યાં પત્ની સાથે ચાલ્યો ગયો અને શાન્તિપૂર્વક પોતાનું જીવન ત્યાં પસાર કરવા લાગ્યો.
૨૬૧
કેટલાક સમય પછી પ્રિયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી આનંદિત થયાં. પુત્રપ્રાપ્તિથી કયા સંસારી જીવને આનંદ થતો નથી ? પ્રિયશ્રી પુત્રને પોતાના પ્રાણસમાન સંભાળવા લાગી. પુત્રને તે ખૂબ જ પ્યાર કરતી હતી, પરંતુ સંસ્થાઃ વિયોન્તાઃ સંયોગનો વિયોગ થાય જ છે. પુત્રનું નામ ‘પ્રિયંકર’ રાખવામાં આવ્યું. તે એક સાલનો જ થયો અને એકાએક ઊપડી ગયો...... એનું મૃત્યુ થઈ ગયું.
પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી અત્યંત દુઃખી થયાં. નિર્ધનતાનું દુઃખ તો હતું જ, પુત્રના મોતથી દુઃખ એકદમ વધી ગયું. પ્રિયશ્રી અત્યંત વ્યથિત થઈ ગઈ. કાળક્રમે તે ફરીથી ગર્ભવતી બની. તેને સ્વપ્ન આવ્યું : ‘તે જમીન ખોદી રહી છે, જમીનમાંથી એક સુંદર મોતી મળ્યું......' તેણે પાર્શ્વદત્તને સ્વપ્ન કહી સંભળાવ્યું. પાર્શ્વદત્તે કહ્યું : ‘દેવી, તને રત્ન જેવા પુત્રની પ્રાપ્તિ થશે.’
પ્રિયશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પાર્શ્વદત્તે એક નાનકડો મહોત્સવ કર્યો.
પાર્શ્વદત્ત ફરીથી અશોકપુર તરફ
પ્રિયશ્રીની ઇચ્છા અશોકપુર જવાની થઈ. પુત્રને લઈને પતિપત્ની અશોકપુરના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યાં. ત્યાં તેમણે એક આંબાનાં વૃક્ષની નીચે દેવપૂજા કરી અને તેઓ વિશ્રામ કરવા લાગ્યાં. એ સમયે દેવવાણી સંભળાઈ : 'આ બાળક પોતાના પુણ્યબળથી ૧૫ વર્ષ પછી આ નગરનો રાજા બનશે.’
પાર્શ્વદત્તે કહ્યું : ‘હે દેવતા ! અમારો આ પુત્ર રાજા બને, એથી અમને કોઈ મતલબ નથી. અમે તો ઇચ્છીએ છીએ કે એ દીર્ઘકાળ સુધી જીવતો રહે. એક પુત્રનું મૃત્યુ થઈ ગયું છે, આ બીજો પુત્ર છે. એની પાસે અમારી ઘણી આશા છે.’ બીજી દેવવાણી થઈ : ‘તમારું આ સંતાન દીર્ઘકાળપર્યંત જીવંત રહેશે, અનેક રાજકુમારો તેની સેવા કરશે.
પ્રિયશ્રી અને પાર્શ્વદત્ત ખૂબ આનંદિત થયાં. “આ કોણ બોલે છે ? તે જોવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org