________________
ભાગ ૩
૨૫૯ વચ્ચે અંતર હોય છે. એ જ રીતે કલા-કલામાં પણ અંતર હોય છે. અમે લોકો એવાં દિવ્ય આભૂષણો બનાવી શકીએ છીએ કે જેને પહેરીને રંક મનુષ્ય પણ રાજા બની જાય છે; રાજા મહારાજા બની જાય છે. કારણ કે અમારી કલા દેવ-અધિષ્ઠિત છે '
પાટલીપુત્રના સોનીઓની વાત સાંભળીને રાજા હર્ષિત થયો. તેણે કહ્યું : “આ શુભ અવસર પર તમે આવ્યા છો, તેથી મને આનંદ થયો. હું તમને સોનું, મોતી, રત્ન વગેરે આપું છું. તમે લોકો સુંદર અલંકારો બનાવો. તમે લોકો રાજ્યના અતિથિગૃહમાં રહો.”
રાજાએ એક વિચક્ષણ મંત્રીને આ કામ સોંપી દીધુંસોનીઓને સુવર્ણ વગેરે આપી દીધું તેમણે કાર્ય શરૂ કરી દીધું. છ માસ સુધી આ કલાકાર સોનીઓ હાર બનાવતા રહ્યા. જ્યારે હાર તૈયાર થઈ ગયો, ત્યારે તેમણે હાર રાજાને બતાવ્યો. રાજા, મંત્રી વગેરે હાર જોઈને અતિ પ્રસન્ન થયા. “આવો અનુપમ હાર અમે કદી જોયો નથી! આ હારનું નામ દેવવલ્લભ' રાખવામાં આવે છે. આ હાર શુભ મુહૂર્ત પહેરાવવામાં આવશે.”
રાજાએ સોની લોકોને ઉત્તમ વસ્ત્રો આપ્યાં, સુવર્ણમહોરો આપી અને પ્રેમથી વિદાય કર્યો. હાર ખજાનચીને આપ્યો અને કહ્યું: “આ હાર ભંડારમાં મૂકો, એને હું જ્યારે માગું ત્યારે મને આપો.” ભંડારમાંથી હાર ગાયબ : રાજપુરોહિતે રાજાને કહ્યું: ‘મહારાજ! હાર પહેરવાનું આજે સારું મુહૂર્ત છે.” રાજાએ ખજાનચીને કહ્યું: ‘ખજાનચી, પેલો દેવવલ્લભ હાર મારે જોઈએ.” ખજાનચી હાર લેવા ભંડારમાં ગયો, જ્યાં હાર મૂક્યો હતો ત્યાં હાર હતો નહીં. આખો ભંડાર જોઈ લીધો. પરંતુ હાર ન મળ્યો. તે ચિંતાના સાગરમાં ડૂબી ગયો.
“આ હાર ભંડારમાંથી ક્યાં ગયો? કોણે ચોય હશે?” તે તો ભયભીત થઈ ગયો. રાજા સમક્ષ જઈને તેણે સમગ્ર વૃત્તાંત કહ્યો.
રાજાએ કહ્યું: ‘ભંડારમાં તો તું જ જાય છે. અન્ય કોઈ પણ માણસ ભંડારમાં પ્રવેશતો નથી. હારની ચોરી તેં જ કરી હશે. સાચું બોલી જા, નહીંતર તારું મોત નિશ્ચિત છે.'
ખજાનચીએ કહ્યું “મહારાજ, હું નિર્દોષ છું. મેં ચોરી નથી કરી. જો આપ મારી વાત ઉપર વિશ્વાસ ન કરતા હો તો આપ મને જે સજા ફરમાવશો તે હું ભોગવવા તૈયાર છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org