SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ : પ્રાસંગિક : ‘ધર્મબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આપવામાં આવેલાં પ્રવચનોનો પહેલો ભાગ (પ્રવચન : ૧થી ૨૩) પ્રકાશિત થયા પછી બહુ જ થોડા દિવસો પછી આ બીજો ભાગ (પ્રવચન : ૨૪થી ૪૭) પ્રકાશિત થાય છે. ત્રીજો ભાગ (પ્રવચન : ૪૮થી ૭૨) હવે પ્રેસમાં જવાની તૈયારીમાં છે. ત્યારબાદ ચોથો ભાગ પણ પ્રકાશિત થશે. ત્રીજા અધ્યાય ઉપર પણ, પહેલા અધ્યાયની જેમ, ૯૬ પ્રવચનો પ્રકાશિત થવાની ધારણા છે. જો તમારે સારું જીવન જીવવું છે; સાત્ત્વિક, ધાર્મિક અને આદર્શમય જીવન જીવવું છે; તો આ પ્રવચનો તમને માર્ગદર્શન આપશે. આ બીજા ભાગમાં તો સવારે ઊઠીને રાત્રે સુતાં સુધી ક્રમશઃ તમારે શું શું ક૨વું જોઈએ, તે દૈનિક કાર્યક્રમ જ બતાવવામાં આવ્યો છે. તમારી વર્તમાન પરિસ્થિતિ, સંયોગો વગેરેને લક્ષમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો ખરેખર, તમારે આ દુર્લભ મનુષ્યજીવન સફળતાથી જીવી જવું છે, તો થોડી નૈતિક હિંમત કેળવો અને જીવનમાં પરિવર્તન કરો. કંઈ જ અશક્ય નથી. દૃઢ મનોબળ હશે તો પરિવર્તન કરી શકશો. માટે, આ પ્રવચનો તમે શાન્તિથી વાંચજો. વાંચીને, આમાંથી તમે શું શું કરી શકો એમ છો, એની અલગ નોંધ (Notes) કરજો. જો તમે ‘શ્રાવકજીવન’નો પહેલો ભાગ ન વાંચ્યો હોય તો વાંચી જજો. એમાંથી પણ જે તમને સ્વીકારવું શક્ય લાગે તેની નોંધ કરજો. તમે ધારશો તો ઘણું કરી શકશો. આ પ્રવચનો મેં હિન્દીભાષી પ્રદેશોમાં હિન્દી ભાષામાં આપેલાં હતાં. ‘અરિહંત’ માસિકમાં છપાઈ પણ ગયાં હતાં. એ પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ શ્રી પ્રલાદભાઈ પટેલે (M.A., Ph.D.) કાળજીપૂર્વક સરળ શૈલીમાં કર્યો છે...... બીજું બધું સંપાદન વગેરેનું કાર્ય મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુએ કરેલું છે. સહુ આત્માર્થી જીવો, અધ્યયન-મનન-ચિંતનથી આત્માનંદ પામો, એ જ મંગલ કામના, પંચગીની પોષ વદ : ૫, વિ. સં. ૨૦૪૯ Jain Education International For Private & Personal Use Only - ભદ્રગુપ્તસૂરિ www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy