SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ આનંદ પ્રાપ્ત કરવો હોય, તો હું કહું તેમ સુધારો કરવો જ પડશે. ચાર-પાંચ વાગે જાગવું પડશે, અને જાગતાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું પડશે. નવા દિવસનો મંગલ પ્રારંભ પરમ મંગલભૂત પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને કરવાનો છે. ચૈત્યવંદન ઃ અને આ પછી ચૈત્યવંદન કરવાનું છે. ગાળેલા, અલ્પ પાણીથી સ્નાન કરીને શ્વેત શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને તમારે "ચૈત્યવંદન” કરવાનું છે - ગૃહમંદિરમાં જઈને કરવાનું છે. પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ આદિથી પરમાત્માની પૂજા ક૨વાની છે અને ચૈત્યવંદન કરવાનું છે. પુષ્પાદિથી દ્રવ્યપૂજા કરવામાં આવે છે. ચૈત્યવંદન ભાવપૂજારૂપ છે. જો ગૃહમંદિર ન હોય તો પુષ્પપૂજા વગેરે પૂજા કરી ન શકો, પરંતુ ચૈત્યવંદન કરી શકો છો. ઈશાન ખૂણામાં શ્રી સીમંધર સ્વામીની કલ્પના કરીને, તેમનું . આલંબન લઈને ચૈત્યવંદન કરી શકો છો. આજકાલ આ પદ્ધતિ નથી. હા, જો પ્રતિક્રમણ દરરોજ કરતા હો તો પ્રતિક્રમણની અંતર્ગત “ચૈત્યવંદન” કરો છો, પરંતુ પરમાત્મપૂજા કરીને ચૈત્યવંદન કરવાની પરંપરા આજે ચાલતી નથી, છતાં પણ તમારી ભાવના હોય તો તમે દેહશુદ્ધિ કરીને વસ્ત્રશુદ્ધિ સાથે ચૈત્યવંદન કરી શકો છો. ધર્મ કોણ કરી શકે છે ? : પરંતુ હૃદયમાં જો પરમાત્મા પ્રત્યે ભક્તિ હશે અને સમ્યગ્ દર્શનનો પ્રકાશ હશે તો જ ચૈત્યવંદન કરવાની ઇચ્છા પેદા થશે, તે સિવાય નહીં થાય. ૫૨માત્મા પ્રત્યે "સંભ્રમ"યુક્ત ભક્તિ જ્યારે પેદા થાય છે, ત્યારે હ્રદય હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે. ચમત્કારિક હર્ષની અનુભૂતિ પેદા થાય છે. ૩૯ "મને કેવી સુંદર ધર્મક્રયા મળી છે ! કેવા સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા મળ્યા છે ! હું ધન્ય થઈ ગયો." પ્રીતિ અને ભક્તિથી હૃદય ગદ્ગદ્ થવું જોઈએ, ચિત્ત હર્ષીવભોર થઈ જવું જોઈએ. પ્રીતિ અને ભક્તિના ઉત્કટ ભાવથી "ચૈત્યવંદન” કરવાનું છે, જેથી હૃદયમાં અપૂર્વ શુભ વિચાર-અધ્યવસાય પેદા થશે. પ્રીતિ-ભક્તિનું મૂળ સમ્યક્ શ્રદ્ધા છે. શ્રદ્ધામાંથી પેદા થયેલી પ્રીતિ-ભક્તિ ધર્મીક્રયાને ચૈતન્યપૂર્ણ બનાવે છે. ક્રિયામાં જડતા રહેતી નથી. ક્રિયા આત્માને સ્પર્શ કરી જાય છે. સમ્યક્ શ્રદ્ધા જો તમારા હૃદયમાં હોય પરંતુ ભક્તિ નથી, — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy