SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભાગ - ૨ ૨પ૭ "અનુ” અને “કંપા” બે શબ્દો છે. મુખ્ય શબ્દ છે “કંપ.” "અનુ” ઉપસર્ગ છે. કંપા એટલે કંપન-કાંપવું. કોઈ જીવ દુઃખથી કાંપે છે, તેને જોઈને આપણું મન-સ્ક્રય કાંપવા લાગે ! તેને કહે છે "અનુકંપા.” "અનુ” એટલે પછીથી. કોઈ જીવ દુઃખથી કાંપે છે. તેને જોયા પછી તમે પણ સહાનુભૂતિથી કાંપવા લાગ્યા, તે અનુકંપા છે. અનુકંપા દયનો ગુણ છે. કઠોરતા દયનો દોષ છે. દુઃખી જીવોને જોઈને બ્દયમાં સંવેદન ન ઊઠે તો સમજવું જોઈએ કે આ મનુષ્ય છે, પરંતુ એનામાં માનવતા નથી. ધાર્મિકતાથી ખૂબ દૂરની વાત છે. ધર્મનો પ્રારંભ દયાથી, અનુકંપાથી થાય છે. “દયા ધરમ કા મૂલ હૈ” અન્ય ભારતીય અને વિદેશી ધર્મોમાં પણ આ વાત માન્ય છે. જેનધર્મમાં તો બતાવવામાં આવ્યું છે કે ધર્મનું મૂળ જ દયા છે ! દયાનું મૂળ છે જીવત્વ પ્રત્યે પ્રેમ. આપણે જીવ છીએ. બીજા જીવો પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ હોવો જ જોઈએ. જેની ઉપર આપણો પ્રેમ હોય છે તે દુઃખી થાય છે, તો આપણે પણ દુખી થઈએ છીએ. બસ, આને જ "અનુકંપા” કહે છે. જીવતત્ત્વ પ્રત્યે, આત્મતત્ત્વ પ્રત્યે, આપણા હૃદયમાં પ્રેમ હોવો એ અનુકંપાનું મૂળ છે. અનુકંપા મનુષ્યના ર્દયનો શુભ ભાવ છે, કારણ કે અનુકંપાથી પ્રેરાયેલો માણસ પરોપકાર કરે છે. ધર્મતત્ત્વના પરમાર્થને જાણનારાઓનો આ વિષયમાં કોઈ મતભેદ નથી. જ્ઞાની મહર્ષિએ કહ્યું છેઃ __ अन्योपकारकरणं धर्माय महीयसे च भवति ॥ પરોપકાર કરવો એ મહાન ધર્મનો અસાધારણ હેતુ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવે છે. એ દૃષ્ટિથી પરોપકાર મહાન ધર્મ છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દુઃખી જીવોને દુઃખથી કાંપતા જોઈને તમારું લ્કય કાંપવું જોઈએ. તેનું દુઃખ તમારું આંતરિક દુઃખ બની જવું જોઈએ. જો કે "ચરમાવત કાળ”માં જીવનો જ્યારે પ્રવેશ થાય છે, પ્રવેશ કરવામાં આવતો નથી, થઈ જાય છે, ત્યારે સહજતાથી અનુકંપાનો ભાવ આત્મામાં પ્રકટ થાય છે. કાલ”ની સાથે જોડાયેલો આ ગુણ છે. જ્યાં સુધી જીવ "ચરમાવર્ત કાળ”માં પ્રવેશ નથી કરતો ત્યાં સુધી આ ગુણ આત્મામાં પ્રકટ થતો નથી. અનુકંપા-દયા સાથે બીજા બે ગુણો પણ પ્રગટ થાય છે - ગુણવાન મનુષ્યો પ્રત્યે અદ્વેષ અને જીવનના હરેક ક્ષેત્રમાં ઉચિત કર્તવ્યોનું પાલન. ગ્રંથકાર આચાર્યદવે પોતાના એક અન્ય ગ્રંથમાં આ જ વાત કરી છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy