SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની સુંદર દિનચર્યા બતાવી છે. સમગ્ર જીવન દરમિયાન કરવા યોગ્ય સત્કાર્યોનો પણ નિર્દેશ કર્યો છે. ‘સુપાત્રે દાન’- આ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યા પછી હવે તેઓ અનુકંપાદાન વિષયમાં માર્ગદર્શન આપતાં કહે છે ઃ दुखितेष्वनुकंपा यथाशक्ति द्रव्यतो भावतश्च ॥ ७१ ॥ અનુકંપાથી પ્રેરિત થઈને દુઃખી જીવોને અનુકંપા-દાન આપવું જોઈએ. દ્રવ્યનું દાન આપવું જોઈએ તેમજ ભાવથી દાન આપવું જોઈએ. આ વિષયમાં હું તમને પાંચ વાતો બતાવવા ઇચ્છું છું, જે નીચે પ્રમાણે છે ઃ – દુઃખી હોવાનાં કારણો - - અનુકંપાનો ભાવાર્થ “યથાશક્તિ”નો અર્થ દ્રવ્ય-અનુકંપાનું તાત્પર્ય ભાવ-અનુકંપાનું તાત્પર્ય આટલી વાતો સારી રીતે સમજી શકશો ત્યારે સાચા સ્વરૂપમાં તમે અનુકંપાદાન આપી શકશો. સર્વ પ્રથમ દુઃખનાં મુખ્ય કારણો બતાવું છું. દુઃખી હોવાનાં કારણો : વીતી ગયેલા અનેક જન્મોથી જીવ અનેક પાપકર્મો કરતો આવ્યો છે. મિથ્યાત્વને કારણે, અવિરતિને કારણે, કષાયોને કારણે, પ્રમાદને કારણે જીવ મન, વચન અને કાયાથી પાપ કરતો રહ્યો છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે અનેક પાપો કરતો રહ્યો છે. પાપ કરવાથી પાપકર્મો બાંધતો રહ્યો છે. જ્યારે બાંધેલાં પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે દુઃખો આવે છે. પાપોથી જ દુઃખો આવે છે. પાપોથી જ જીવ દુઃખી થાય છે. એટલા માટે દુઃખી માણસોએ સમજવું જોઈએ કે : "આપણે જ બાંધેલાં પાપકર્મોને કારણે દુઃખી થયા છીએ. બીજા કોઈનો ય દોષ નથી. જે પાપકર્મો પૂર્વજન્મોમાં બાંધ્યાં છે, એ કર્મોને મારે ભોગવવાં જ પડશે. જો આ જીવનમાં હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy