SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૨૫૧ – પારલૌકિક સુખોની અપેક્ષા પણ માણસ રાખે છે. જેમ કે પેલા ગોવાળના છોકરાએ મુનિરાજને ખીરનું દાન આપ્યું હતું, તો બીજા ભવમાં તે શાલિભદ્ર બન્યો અને પ્રતિદિન દેવલોકમાંથી ભોજન, વસ્ત્ર-સ્વર્ણાલંકારની ૯૯ પેટીઓ આવતી હતી. દાનધર્મ પ્રભાવશાળી છે, આપણે પણ દાન આપીએ. જેથી આપણને ૫૨લોકમાં પણ વિપુલ ધનસંપત્તિ મળશે ! આ રીતે ઇહલૌકિક યા પારલૌકિક ફળની અભિલાષા ન રાખવી જોઈએ. દાનનું જે વાસ્તવિક ફળ મળે છે, તે સામાન્ય માણસની કલ્પનાની બહારની વાત છે. ફળ માગનાર સામાન્ય ફળ માગે છે. એનાથી તે મહાન ફળથી વંચિત રહી જાય છે. સભામાંથી : કંઈ ને કંઈ ફળની ઇચ્છા જાગી જ જાય છે ! મહારાજશ્રી : આધ્યાત્મિક ફળ માગી શકો છો ! જેમ કે મુનિરાજની ભક્તિ ક૨વાથી મારું ચરિત્ર-મોહનીય કર્મ તૂટી જાય, તો મને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય ! મુનિરાજને દાન આપવાથી મારું જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય, તો મને સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય ! મુનિરાજને દાન આપવાથી, તેમની ભક્તિ કરવાથી મારું વીર્યાન્તરાય કર્મ તૂટી જાય અને ધર્મપુરુષાર્થમાં મારો ઉલ્લાસ વધે. મુનિરાજને દાન આપવાથી, તેમની કૃપાનો હું પાત્ર બનું અને મારામાં ક્ષમા, નમ્રતા વગેરે ગુણોનો આવિર્ભાવ થાય. તેમની ભક્તિ કરવાથી મારું મન પવિત્ર બને, મારા મનમાં સારા વિચારો જાગૃત થાય ! આવાં ફળોની અભિલાષા કરી શકો છો. પરંતુ આવી અભિલાષા ત્યારે જ જાગૃત થશે કે જ્યારે ચિત્તમાં ભૌતિક-વૈષયિક સુખો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હશે. અથવા "દેવ-ગુરુ પાસે મારે સંસારનાં સુખ માગવાં નથી” એવો દૃઢ નિર્ણય કર્યો હશે. મોક્ષ કોણ માગી શકે છે ? : તમે મોક્ષ પણ માગી શકો છો. પરંતુ મોક્ષની અભિલાષા મનમાં પેદા થઈ હોય તો, મોક્ષ તમને પસંદ આવ્યો હોય તો ! સભામાંથી : મોક્ષની કલ્પના જ કરી શકતા નથી ! મહારાજશ્રી : તો પછી મોક્ષ માગવાની વાત જ ક્યાં રહે છે ? પહેલાં મોક્ષનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્માનું વિશુદ્ધ સ્વરૂપ જ મોક્ષ છે. તમને આત્માની સ્વભાવદશા પ્રિય લાગે છે ? વિભાવદશામાંથી તમે મુક્ત થવા ઇચ્છા રાખો છો ? જ્યાં સુધી વિભાવદશા પ્રિય લાગતી હોય, સ્વભાવદશાનું જ્ઞાન ન હોય, સ્વભાવદશાનું તીવ્ર આકર્ષણ નહીં હોય ત્યાં સુધી મોક્ષ માગવાની વાત ખોટી છે. જેને આપણે જાણતા નથી, સમજતા નથી, આપણને પ્રિય નથી, તે માગવું મૂર્ખતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy