SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રાવકજીવન એક તીર્થસ્થાનના ટ્રસ્ટીએ મને જણાવ્યું હતું કે રાત્રે બાર વાગે ધર્મશાળાનો ચોકીદાર મારી પાસે આવ્યો અને મને જગાડીને બોલ્યો ઃ "ધર્મશાળાના એક રૂમમાં કેટલાક લોકો જુગા૨ ૨મી રહ્યા છે.” હું ચોકીદાર સાથે તે રૂમની પાસે ગયો. દરવાજો ખખડાવ્યો. દરવાજો ન ખુલ્યો. મેં કહ્યું : "હું તીર્થનો મેનેજિંગ ટ્રસ્ટી છું, મારું નામ.... છે. દ૨વાજો ઉઘાડો, નહીંતર પોલીસ સ્ટેશને ફોન કરું છું.” પોલીસનું નામ સાંભળીને અંદર લોકો ગભરાયા, ઝટપટ બાજી સમેટીને જે સંતાડવાનું હતું તે સંતાડીને દરવાજો ઉઘાડ્યો ! મેં જોયું તો મોટા શહેરના સારા વેપારીઓ હતા ! મને જોઈને તેમને શરમ આવી. મૌન ઊભા રહ્યા. મેં કહ્યું : "તમે અત્યારે જ ધર્મશાળા છોડીને ચાલ્યા જાઓ. આ તીર્થ છે, અહીં જુગા૨ ૨મવો મહાપાપ છે, અપરાધ છે.” રાત્રે જ તે લોકો પોતપોતાની ગાડીમાં બેસીને ચાલ્યા ગયા. આ તો ટ્રસ્ટી જાગ્રત હતા અને રાત્રે બાર વાગે ધર્મશાળામાં ગયા. આવા જાગ્રત ટ્રસ્ટીઓ કેટલા ? ધર્મશાળા તો મોટે ભાગે મુનીમ લોકો જ સંભાળે છે. મુનીમોને ખુશ કરીને તમે જે ઇચ્છો તે ધર્મશાળામાં કરો છો. મોટાં મોટાં તીર્થની ધર્મશાળાઓમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ? ધર્મશાળા બનાવનારા એ ભાવનાથી ધર્મશાળા બનાવે છે કે તીર્થયાત્રા કરનારા યાત્રીઓ તેમાં ઊતરે અને ધર્મ-આરાધના કરે. લાખો રૂપિયા લોકો આ ભાવનાથી ખર્ચે છે. ધર્મશાળા બનાવનારાઓની શુભ ભાવનાનું મૂલ્યાંકન તમે લોકો શું કરો છો ? ભાવનાથી વિપરીત વ્યવહાર કરીને તમે લોકો કેટલું મોટું પાપ કરો છો ? ક્યારે છૂટશો એવા પાપોમાંથી ? તમે લોકો જિનશાસનની ઉન્નતિ નહીં કરો તો ચાલશે, પરંતુ જિનશાસનની બદનામી તો ન જ કરવી જોઈએને ? દુરાચારી લોકો ધર્મની નિંદા કરાવે છે. પોતાનું અહિત તો કરે જ છે. તેમને કોણ સમજાવે ? જેઓ માત્ર નામના જ જૈન હોય છે તેઓ તીર્થસ્થાનોમાં જઈને ત્યાંની પવિત્રતાને ખંડિત કરે છે. ગાડી અને બસોના સંઘ ઃ -- કેટલાક વર્ષોથી ટ્રેઈનોમાં સંઘો નીકળે છે. બસોમાં સંઘો નીકળે છે. તે લોકો તીર્થયાત્રા ઓછી પણ મોજમજા જ વધારે કરે છે. કેટલાક લોકો તીર્થમાં જઈને ન તો પરમાત્માનાં દર્શન-પૂજન કરે છે, ન તો સામાયિક કરે છે. રાત્રિભોજન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy