SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૧૬૩ કેટલાંક ગામ-નગરોમાં મેં જોયું છે કે ટ્રસ્ટીની લાપરવાહી-ઉપેક્ષાને કારણે મંદિરોમાં હજારો-લાખોનો ગોટાળો થાય છે. મુનીમો ગોલમાલ કરતા હોય છે ! સભામાંથી જેટલા રૂપિયાની ગોલમાલ થાય એટલા રૂપિયા ટ્રસ્ટીઓએ આપવા જોઈએ ને ? મહારાજશ્રી : જરૂર આપવા જોઈએ. વસૂલ કરીને આપવા જોઈએ. વસૂલ ન થાય તો પોતાના રૂપિયા આપવા જોઈએ. પરંતુ કોણ આપે છે ? મંદિરોના હિસાબકિતાબ જોવાની ફુરસદ કયા ટ્રસ્ટીને છે ? અને આવી ઘોર ઉપેક્ષા કરનારાઓની કેવી દુર્દશા થાય છે તે તમે જાણો છો ? આ જન્મમાં બરબાદી અને પરલોકમાં દુર્ગાત ! પ્રત્યુપેક્ષાથી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન : અને જે મહાનુભાવ પોતાના કર્તવ્યનું સુયોગ્ય પાલન કરે છે, મંદિરો પ્રત્યે, તેમની વ્યવસ્થા પ્રત્યે, દ્રવ્ય-વ્યવસ્થા પ્રત્યે જાગ્રત રહે છે, કોઈ પણ ગોલમાલ થવા દેતો નથી. તે મહાનુભાવ "તીર્થંકર નામકર્મ" બાંધી લે છે. એટલે કે આવનારા જન્મોમાં, કોઈ પણ જન્મમાં તે તીર્થંકર બને છે. તીર્થંકરની ભક્તિ, તીર્થંકરના શાસનની ભક્તિ, શાસનનાં કાર્યો પ્રત્યે સજાગતા મનુષ્યને તીર્થંકર કેમ ન બનાવે ? જોઈએ પ્રત્યુપેક્ષા. "મેં કયું કાર્ય કર્યું અને કયું ન કર્યું ?” એ ગંભીરતાથી વિચારતા રહેવાનું છે. એક સાવધાની રાખવી. કોઈ વાર કોઈ કાર્ય તમારે કરવાનું હતું. તમે ભૂલી ગયા, તે કાર્ય કરી શક્યા નહીં, અને કોઈ બીજી વ્યક્તિએ યાદ કરાવ્યું ઃ ”તમારે એ કાર્ય કરવાનું હતું, તમે તે કર્યું નથી.” એ સમયે તમારે નારાજ ન થવું. યાદ કરાવનાર પ્રત્યે ક્રોધ ન કરવો. સભામાંથી : કેટલાક દ્વેષી લોકો ક્રોધમાં આવીને યાદ કરાવે છે, આક્રોશ કરે છે ! મહારાજશ્રી ઃ એ સમયે તમારે સમતાભાવ રાખવાનો છે. કેટલાક લોકોને એવી આદત હોય છે. તેઓ કોઈને કશું કહેશે તો આક્રોશની ભાષામાં જ કહેશે. ઘરમાં પણ તેમને આવી જ આદત હોય છે. પ્રેમથી, શાંતિથી યાદ કરાવવાની આદત પાડવી જોઈએ. તમે લોકો પણ આ વાત સમજી લો. ભૂલી જવું એ થોડાઘણા પ્રમાણમાં દરેક માણસમાં જોવામાં આવે છે. કોઈ માણસ ઘણી વાતો ભૂલી જાય છે તો કોઈ માણસ ઓછી વાતો ભૂલી જાય છે ! યાદ અપાવવાની રીત સારી હોવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy