________________ ( પ્રવચન : 22 પરમ કૃપાનિધિ મહાનશ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ "ગ્રંથના ત્રીજા” અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મમાં બતાવ્યો છે. વિશેષ ધર્મ એટલે સમ્યકત્વ મૂલક બાર વત. 11 વ્રતોનું વિવેચન પૂર્ણ થયું, આજ બારમા "અતિથિ સંવિભાગ” વ્રતનું વિવેચન કરીશ. વ્રતનું વિવેચન કરતા પહેલાં “અતિથિ” અને "સંવિભાગ” શબ્દોનો અર્થ-ભાવાર્થ જણાવું. અતિથિ : જેને તિથિનું - પવતિથિનું કોઈ બંધન નથી હોતું તે અતિથિ કહેવામાં આવે છે. કોઈ પણ દિવસે તે તમારે ઘેર આવી શકે છે તે "અતિથિ” કહેવાય છે. "અતિથિ” નો મહિમા માત્ર જૈન પરંપરામાં જ છે એવું નથી. વૈદિક અને બૌદ્ધ વગેરે ધમમાં પણ “અતિથિ” ને પૂજય માનવામાં આવ્યો છે. વિદેશના તત્ત્વચિંતકોએ પણ અતિથિ” નું મહત્ત્વ બતાવ્યું છે. "મનુસ્મૃતિ માં કહેવામાં આવ્યું છેઃ न वै स्वयं तदश्नीयादतिथिं यन्न भोजयेत् / જે અતિથિને ન ખવડાવવામાં આવે તે સ્વયં પણ ન ખાવું જોઈએ. યુદ્ધતિ માં અશ્વઘોષે કહ્યું છેઃ आतिथ्यमार्यधर्मो हि स्यादतिथिर्यथा-तथा / અતિથિ ગમે તેવો હોય પરંતુ એનું આતિથ્ય કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે. “અથર્વવે” માં કહેવામાં આવ્યું છે. “कीर्ति च वा एष यशश्च गृहाणामश्नाति यः पूर्वोऽतिथेरश्नाति જે વ્યક્તિ અતિથિને ભોજન કરાવ્યા પહેલાં પોતે ભોજન કરે છે તે પોતાના ઘરની કીતિ અને યશને ખાય છે. “શતપથ બ્રાહvમાં પણ સૂચવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org