SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે આત્મસાક્ષીએ નવપદનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સર્વ સંપદાઓનું કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે. જિનેશ્વર ભગવંતોએ અસંખ્ય યોગો મોક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. તેમાં નવપદની આરાધના તે મુખ્ય ધોરી માર્ગ છે, કારણ કે નવપદના આલંબનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે, આત્મધ્યાનથી આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણું મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઇ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મોક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપનો અનુભવ કરવાની જરૂર પડે છે. (જે આ જીવનમાં શકય છે.) આત્મ સ્વરૂપનો અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે. પરંતુ “ભકિતના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું." તેવું સીધું શુદ્ધ નયનું ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હોવાથી ભ્રમ ઊભો થાય છે. ભકિત એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભકિતરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે - એહ તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણો રે" નવપદના આલંબનથી જે આત્મધ્યાન પ્રાપ્ત થાય છે, તે મોક્ષનો હેતુ બને છે. અને નવપદનું આલંબન લેવા માટે અરિહંત - ભક્તિ, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાનો કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy