SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદના ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા અરિહંત પદનું ધ્યાન - શ્રીપાલના રાસમાં મહાવીરસ્વામી દેશનામાં કહે છે - અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઇ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે. વીર જિનેશ્વર ઉપદિશે. અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય - પરમાત્મામાં તન્મય - તદ્રુપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતો ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. આવું સાલંબન ધ્યાન' એટલે કે પરમાત્માના આકારે ઉપયોગને પરિણાવવાની કળા શીખવી અને હંમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણી ચેતનાની ઊર્ધ્વગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયા ટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે. ૧. નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપયોગાકાર આત્મા. (૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત્ અરિહંત પરમાત્મા તે નોઆગમથી ભાવનિક્ષેપ પરમાત્મા છે. (૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy