SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ (3) ચક્રાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન : “તિજય વિજય ચકર્ક સિદ્ધચક્ક નમામિ.” તીર્થંકર ભગવાનની આગળ ધર્મચક્ર હોય છે, ચક્રવર્તી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધકો ચક્રાકારે સિદ્ધચક્ર યંત્રને પોતાની આગળ રાખી સિદ્ધચક્રજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી જેમ ચક્રવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે, તેમ સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. ચક્રી ચક્ર ને રથ બલે, સાથે સામેલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક્ર પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે. મયણા ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે. આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું ફળ ગૌતમ ગણધર ભગવંત કહે છે કે :- , “સિદ્ધચક્રના ધ્યાને રે, સંક્ટ ભય ન આવે; હે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. સિદ્ધચક્રને ભજીયે રે, કે ભવિયણ ભાવ ધરી.” આ પ્રમાણે ત્રણ રીતે સિદ્ધચક્રનું ધ્યાન કરવું. આ ત્રણે રીતે ધ્યાન કરવાથી જગતની સર્વોત્કૃષ્ટ સર્વ શકિતઓનું ધ્યાન થઇ જાય છે. તેનું ફળ અચિંત્ય છે. “સિરિ સિરિવાલ કહા' અને “શ્રીપાલ મહારાજાના રાસ' માં તેનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. - “સિદ્ધચક્રને ભજીએ રે આ સ્તવન પૂ.ગુરુમહારાજને બહુ જ પ્રિય હતું. તે ઘણી વખત આ સ્તવન ગાતા અને ગવરાવતા. સાધક સાંભળીને ધન્યતા અનુભવે છે. સિદ્ધચક્રની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત બને છે. “સિદ્ધચક્ર પૂજન અને રોજની સાધના” ન થાય ત્યાં સુધી પચ્ચકખાણ પાળવું નહીં તેવો નિયમ કરે છે. સાધનામાં નિષ્ઠા મેળવવા માટે આવો કડક નિયમ અતિ જરૂરી છે. પૂ. ગુરુમહારાજ સાધકને ભાવપૂર્વક નિયમ સદા જળવાય તેવા આશીર્વાદ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy