SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ઘઉ પકવનાર જોઇએ. રોટલીનો બનાવનાર જોઇએ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. આપણે અ-શરીરી બનીએ તો જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય (૫) જીવની છેલ્લી ઇચ્છા- બધા મને આધીન રહેવા જોઇએ. આ ઇચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધો ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવો બનાવ બનશે કે અમુક જીવાત્મા એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય તો તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવળ જ્ઞાન પ્રગટ કરીએ તો આપણા જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે. આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શકિતમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયોજનો સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણી પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું ધ્યેય - લક્ષ્ય આત્માનુભવ કરવો અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચૈતન્ય પ્રગટ કરવું તે છે. - સાધક : આ જીવનનું ધ્યેય આત્મ - સ્વરૂપનો અનુભવ કરવો તે છે તો પૂર્ણ કરવા માટે શરૂઆત કેવી રીતે કરવી? પૂ. ગુરુમહારાજ ઃ જેમનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમેષ્ઠિઓ સાથે સંબંધ જોડવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. પરમેષ્ઠિઓ સાથે સંબંધ જોડવા માટે નમસ્કાર મહામંત્ર" સર્વશ્રેષ્ઠ ઉપાય છે. નમસ્કાર મહામંત્રની આરાધના દ્વારા પરમેષ્ઠિઓ સાથે સીધો સંબંધ જોડાય છે. તેનાથી પરમેષ્ઠિઓના જેવું જ સ્વરૂપ આપણી અંદર છુપાયેલું છે, તેની સભાનતા થાય છે અને તે સ્વરૂપે પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા અને પ્રવૃત્તિ થાય છે. છેવટે આત્મસ્વરૂપનો અનુભવ અને પ્રગટીકરણ થાય છે. નમસ્કારની આરાધના શરૂ કરવા માટે પ્રથમ નીચેની બાબતો ઉપર લક્ષ રાખવું. આસન અને મુદ્રા :- આસન ઊનનું સફેદ રંગનું બેસવા માટે રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy