SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ છે. યોગશુદ્ધિથી ઉપયોગ શુદ્ધ થાય છે. ઉપયોગ શુદ્ધિથી ઉર્ધ્વગતિ થાય છે. દરરોજ કરવાની ભાવના. ૬૩. અરિહંતો મહ દેવો (૧) મારા દેવ અરિહંત પરમાત્મા છે. મોહ, માયા, મમતાના સર્વથા ત્યાગી છે. તેમનું વચન મને સંપૂર્ણ માન્ય છે. તેમના વચનમાં એક અંશ પણ સંદેહ નથી. તેમની આજ્ઞા સુખકારી, કલ્યાણકારી, હિતકરી છે. આ ભવ, પરભવ અને ભવોભવ અને અંતે શાશ્વત સુખને આપનારી છે, તેને જ હું માનીશ. મારા ગુરુ અરિહંતે કહેલા વચન ઉપર વિશ્વાસ ધરાવનાર, તેમના વચન મુજબ પ્રરૂપણા કરનાર, કંચન – કામિનીના ત્યાગી અને પંચ મહાવ્રતધારી છે. તેમને જ હું માનીશ. (૩) મારો ધર્મ અરિહંતના વચન મુજબ દયામય, નિશ્ચયથી વસ્તુ સ્વભાવ રૂપ ધર્મ, આત્માના જ્ઞાન, દર્શન આદિ ષલક્ષણમય, આપ સ્વભાવમાં વર્તવું તે અને વ્યવહારથી પ્રભુ આજ્ઞા એ ધર્મ, ઉપયોગે ધર્મ, જયણાએ ધર્મ, જે જે અંશે નિરૂપાધિકપણું તે તે અંશે ધર્મ, દુર્ગતિમાં પડેલા જીવોને હસ્તાવલંબન આપે તે દસવિધ યતિ ધર્મ, દ્વાદશવિધ ગૃહસ્થ ધર્મ, અરિહંત આદિ ચાર મંગલ, ઉત્તમ, શરણભૂત છે. મારો આત્મા સંસારમાં રહે ત્યાં સુધી ચારનું શરણ છે. મારા આત્માએ આ ભવમાં, ભવોભવમાં, જાણતાં - અજાણતાં જિનાજ્ઞા વિરૂદ્ધ મનથી ચિંતન, વાણીથી ભાષણ અને કાયાથી પ્રવૃત્તિ કરી તે અશુભ કર્મોને હું બિંદુ છું, ગહું છું, ત્રણ વાર મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. મારા જીવે આ ભવમાં આજ સુધી ગત ભવમાં અને ભવો ભવને વિશે જે કાંઈ વિતરાગની આજ્ઞા સહિત મનથી, વચનથી, કાયાથી પ્રવૃત્તિ કરી હોય, તેવા સર્વ કાર્યોની હું વારંવાર અનુમોદના કરું છું અને વારંવાર કરવાની હું ભાવના રાખું છું. ચોર્યાશી લાખ જીવાયોનિ વિષે મારા જીવે આ ભવમાં, ગત ભવમાં, ભવોભવમાં જે કાંઈ પીડા દીધી, તે જીવોની - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy