SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતગંગા હિમાચલમ્ પ્રભુનો ગુણ રૂપ હિમાલય પર્વત છે. પૂજ્ય ગુરુમહારાજ પ્રભુના હિમાલય જેવા અનેક ગુણોનું ચિંતન કરે છે. પ્રભુના ગુણ ઉપર પ્રેમ કરે છે. તેમાંથી સર્જન થાય છે ગંગોત્રીનું. ગંગાનદીનું મૂળ (જ્યાંથી ગંગાનું સર્જન થાય છે) ગંગોત્રી છે. તે ગોમુખમાંથી નીકળે છે. પ્રભુના ગુણ રૂપી હિમાલય પર્વત ઉપરથી ગોમુખ' એટલે ગુરુમુખમાંથી ગંગોત્રીનું પવિત્ર ઝરણું નીકળે છે. ધીમે ધીમે તે ગંગોત્રી ગંગારૂપ બને છે. જે કોઈ તેના સંબંધમાં આવે તેને પવિત્ર કરે છે, જે કોઈ સંબંધમાં આવે તેના આત્માને લાગેલા કર્મમળને ધોઈને શુદ્ધ કરે છે. તે ગુરુવાણી રૂપ ગંગાનદી ઉપરથી પસાર થયેલો પવન પણ સંસારના ત્રિવિધ તાપ રૂપ અગ્નિદાહમાં પીડાઈ રહેલા જીવોને શાંતિ આપે છે. આવા પરમ પુનિત ગુરુમુખમાંથી (ગોમુખમાંથી) નીકળી ગંગાનદી ધીમે ધીમે વિસ્તૃત બનતાં સંબંધમાં આવતા જીવોને પવિત્ર કરતાં કરતાં છેવટે મહાસાગર રૂપ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ત્યાં તે પોતાનું અસ્તિત્વ મેળવી દે છે. બિન્દુ સિધુમાં મળી જાય છે. ગુરુ પોતે પરમાત્મ રૂપ મહાસાગરમાં ભળી જઈને મહાસાગર રૂપ એટલે કે પરમાત્મ રૂપ બની જાય છે. આવા ગુરુ-ગંગાના સંપર્કમાં આવવાં છતાં, મારા જેવા વામણા મુખથી, ગંગાનું વર્ણન કરવું અઘરું જરૂર છે; પણ ગુરુ ભકિતથી મુખ ખુલે છે, કલમ ચાલે છે, એ ગુરુ ભક્તિથી ભીંજાયેલા હૃદયથી ભક્તિનો આર્તનાદ નીકળે છે. તે આપ સૌને પવિત્ર કરશે તેવી એક અંતરની અભિલાષા આ લખવા પ્રેરણા આપે છે. ગુરુ પાસેથી મળેલી પ્રસાદીને પોતાની માલિકીનો માલ અથવા તેને પોતાની મૂડી કદી ન સમજી શકાય. તેની રસલહાણ મુમુક્ષુઓને કરવી તે જૈન શાસનની પરંપરામાં ચાલતું આવેલું છે. પરમ તારક ત્રિભુવન વિભુ મહાવીર દેવ પરમાત્મા પાસેથી ગુરુ પ્રસાદી રૂ૫ ગૌતમસ્વામીજીને મળેલી ત્રિપદીમાંથી ઉદ્દભવેલું આ તીર્થ પરંપરાએ આપણને મળ્યું છે. તેમાં અનેક મહાપુરુષોએ સૂર પૂરાવીને તેને સમૃદ્ધ કર્યું છે. તેમાંના અંશો આપણને ગુરુમુખથી મળ્યા છે. તેની સ્વાધ્યાય અર્થે લખાયેલી આછી રૂપરેખા આ ગ્રંથમાં છે, તે આપણા હૃદયને પવિત્ર કરો! તે આપણા હૃદયમાં ધર્મમંગલ પ્રગટ કરો! તે આપણા હૃદયમાં પ્રભુ પ્રેમના અમૃતનું સર્જન કરો! તે આપણા હૃદયમાં જીવમાત્રના કલ્યાણરૂપ મહાસમાધિસુખનું સર્જન કરો! ગુરુમુખથી નીકળેલું પવિત્ર ઝરણું આપણા અહંભાવ'ને ઓગાળી નાંખનારૂં બનો! ધનવંતરી વૈદ્ય'ની જેમ આપણા સ્વાર્થ રૂપી કારમાં વ્યાધિનો નાશ કરનાર બનો! અને પરમાત્માના અભેદ મિલન દ્વારા આત્માનુભવ રૂપ અમૃતને દેનારૂં બનો તેવી શુભ અભિલાષા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy