SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ શુદ્ધ આત્મ દ્રવ્યના જ પર્યાયો છે. આત્મા પોતાના સ્વભાવથી, પોતાની પ્રભુતાથી, પોતાના જ્ઞાન પંજથી ભરેલો છે. ધર્મીને ધ્રુવ કહ્યો છે કેમ કે તે પોતાના ટંકેલ્કીર્ણ જ્ઞાનાનંદમય - ચિદાનંદમય ધૂવ સ્વભાવનો નિરંતર અનુભવ કરે છે. ૨૧. ધર્મલાભનો અર્થ આત્મલાભ છે. આત્મા સદાય પર દ્રવ્યોથી- પર ભાવોથી ભિન્ન અને નિજ સ્વભાવથી અભિન્ન છે. ચૈતન્ય સૂર્ય છે, જ્ઞાનમય શુદ્ધ સ્વભાવના આલંબનથી નિજ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્માનો લાભ તે ઉત્કૃષ્ટ મંગલ છે અને અનાત્મ ભાવોનો પરિહાર તે સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ તેનો ક્ષય છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વ અનાત્મ ભાવોનો નાશ કરે છે અને શુદ્ધાત્મ ભાવનું પ્રગટીકરણ કરે છે. શબ્દરૂપ નમસ્કાર, અર્થરૂપ નમસ્કાર અને જ્ઞાનરૂપ નમસ્કાર એ ત્રણેમાં સામર્થ્ય રહેલું છે. અરિહંતના ધ્યાનથી અભય, અષ, અખેદની પ્રાપ્તિ થાય છે. અરિહંતનું ધ્યાન એ અભેદ નયથી નિજ શુદ્ધાત્માનું ધ્યાન છે. અને અભેદ નથી શુદ્ધાત્માનું ધ્યાન અભય અદ્વેષ અને અખેદ આપે છે. અનાત્મામાં આત્મબુદ્ધિ ભય, દ્વેષ અને ખેદ જનક છે. એ જ બુદ્ધિ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે છે ત્યારે ભય દ્વેષ અને ખેદ ચાલ્યાં જાય છે. આત્માનું નિત્ય ભયને હરે છે. શુદ્ધતા દ્વેષને હરે છે. બુદ્ધત્વ ખેદને હરે છે. આત્મામાં રહેલ આત્મત્વ ભયનું વિરોધિ છે, ચૈતન્ય ષનું વિરોધિ છે. આનંદમયત ખેદનું પ્રતિપક્ષી છે. નામ રૂપને બાદ કરીને જ્યારે સત્ - ચિત્ - આનંદ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. ત્યારે અભય - અદ્વેષ - અખેદ ગુણ આપોઆપ પ્રગટ થાય છે. અરિહંત પરમાત્માને આ ત્રણ ગુણ પ્રગટ થયેલા હોવાથી તેમનું ધ્યાન આ ત્રણ ગુણોને પ્રગટ કરાવે છે. અથવા આત્મ સ્વરૂપ પોતે જ અભય - અદ્વેષ અને અખેદ સ્વરૂપ છે તેવી અભેદ બુદ્ધિએ આત્માનું ધ્યાન એ ત્રણે ગુણોને પ્રગટ કરાવે છે. નીચેની ત્રણ ગાથા સહિત “નમો અરિહંતાણં' પદનું નિરંતર ધ્યાન કરવામાં આવે તો અભયાદિ ત્રણ ગુણોની સિદ્ધિ અવશ્ય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy