________________
૨૪૭
તદ્રુપ બની ગયો, તે વખતે તેના આત્માએ ચશ્માનો આકાર ધારણ કર્યો.
કોઈ માણસ સિનેમા જોવા જાય, ત્યાં પડદા ઉપર ચાલતા દશ્યને જોવામાં લીન બની જાય, તે વખતે પડદા ઉપર ચાલતું દશ્ય કલુષિત આકારવાળું હોય તો, જોનારનો આત્મા કલુષિત આકારવાળો બની જાય છે. તેથી જ્ઞાની પુરુષો ત્યાં જવાની ના પાડે છે. સિનેમાની નટીના દૃશ્યમાં તન્મય, તદ્રુપ બનેલો માણસ તે નટીના ધ્યાનથી પોતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણાવે છે. એવી જ રીતે ક્રોધના, માનના, માયાના, લોભના ઉપયોગમાં પોતાના આત્માને પરિણાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લોભી આકારે પરિણમે છે. તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ, જયારે આપણે આપણો ઉપયોગ પરમાત્મામાં સ્થિર કરીએ છીએ, પરમાત્મામાં તદાકાર ઉપયોગ સ્થિર રહીએ છીએ, ત્યારે આપણો આત્મા પરમાત્માનો આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ, તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણો આત્મા નવપદના આકારવાળો બને છે. એટલે કે આપણો આત્મા નવપદના ઉપયોગમાં સ્થિર થાય છે ત્યારે આપણા આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયોગ સ્થિર થવાથી નવપદમાં આત્મા છે. તે જ સમયે આત્મામાં નવપદો છે. objectively એટલે નિમિત્ત દૃષ્ટિબિન્દુથી નવપદમાં આત્મા છે. અને subjectively એટલે ઉપાદાન દષ્ટિબિન્દુથી આત્મામાં નવપદો છે.
આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે. “અરિહંત પદ ધ્યાતો થકો, દબ્રહ ગુણ હજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.”
(ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત નવપદપૂજા) પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો આત્મા જેટલો સમય તદાકાર ઉપયોગ પરિણમે છે, તેટલા સમય પૂરતો ભેદનો છેદ કરી પોતે આગમથી ભાવનિક્ષેપ અરિહંતરૂપ બને છે.
परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हद्ध्यानाविष्टो भावार्हन् स्यात् स्वयं तस्मात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org